ઘટના@શામળાજી: ડુંગર પરથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર

અટલ સમાચાર, શામળાજી કોરોના મહામારી વચ્ચે શામળાજી પંથકના વેણપુર ગામેથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક દુકાનેથી પરત ઘરે જવાનું કહી નિકળ્યા બાદ યુવકની લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ તરફ ઘટનાને લઇ શામળાજી પોલીસે
 
ઘટના@શામળાજી: ડુંગર પરથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર

અટલ સમાચાર, શામળાજી

કોરોના મહામારી વચ્ચે શામળાજી પંથકના વેણપુર ગામેથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક દુકાનેથી પરત ઘરે જવાનું કહી નિકળ્યા બાદ યુવકની લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ તરફ ઘટનાને લઇ શામળાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના શામળાજી પંથકના વેણપુરના ડુંગર પરની એક આશાસ્પદ યુવકની લાશ મળી આવતાં હડકંપ મચી ગયો છે. ઘટનાને લઇ આસપાસના લોકો એકઠા થઇ ગયા બાદ પોલીસને જાણ કરાઇ હતી. મૃતકની લાશ અહીં કેવી રીતે આવી તે બાબતે પંથકમાં ચર્ચાઓ શરૂ થઇ છે. આ તરફ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.