ઘટના@સિધ્ધપુર: કામકાજ બાબતે પરીણિતાને ગડદાપાટુનો માર માર્યો, પતિ સહિત 3 સાસરીયા વિરૂધ્ધ FIR
અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર
સિધ્ધપુર પંથકની પરીણિતાને મહેસાણાના સાસરીયાઓએ માનસિક ત્રાસ આપી ગડદાપાટુનો માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ સિધ્ધપુરની યુવતિના લગ્ન બાદ થોડાક સમય સારૂ રાખ્યા બાદ તેનો પતિ અને સાસરીયાઓ અવાર-નવાર કામકાજ બાબતે ઠપકો આપતાં હતા. જે બાદમાં એક દિવસ મહિલાના પતિને તું કામકાજ કરતી નથી તેવું કહી ગડદાપાટુનો માર માર્યો હતો. આ તરફ મહિલાના પિયરીયાઓ સાસરીમાં આવતાં તેઓએ મહિલાને સિધ્ધપુર લઇ જવા કહ્યુ હતુ. આ તરફ ઇજાગ્રસ્ત યુવતિએ સારવાર કરાવ્યા બાદ તેના પતિ સહિતના સાસરીયાઓ સામે સિધ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના સિધ્ધપુરમાં રહેતી એક પરીણિતાએ તેના પતિ અને સાસરીયા સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સિધ્ધપુર શહેરની યુવતિના લગ્ન ત્રણેક વર્ષ અગાઉ મહેસાણા તાલુકાના પાંચોટ ગામના પ્રદિપ મકવાણા સાથે થયા હતા. લગ્ના થોડાક વર્ષો સારૂ રાખ્યા બાદ મહિલાનો પતિ પ્રદિપ, સસરા નરસિંહભાઇ અને સાસુ કપીલાબેન સહિતનો ખોટો શક વહેમ રાખી અને કામકાજમાં ભૂલો કાઢી હેરાન કરતાં હતા. જે બાદમાં ગઇકાલે સાંજે પરીણિતાને ગડદાપાટુનો માર માર્યો હતો. આ સાથે તને રાખવી નથી તેવું કહી પિયરના લોકો આવતાં તેને મોકલી દીધી હતી. સમગ્ર મામલે પરીણિતાએ પોતાના પતિ અને સાસુ-સસરા સામે સિધ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય સામે આઇપીસી કલમ 498A, 323, 294(b), 114 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.