બનાવ@સુરતઃ ઓનલાઇન વેપારમાં નુકશાન જતાં યુવકે ઓફિસમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક ઓનલાઇન વેપારમાં પોતાના એક મિત્ર સાથે ભાગીદારીમાં કરતા હતા. જોકે, લોકડાઉનન લઈને તેનો વેપાર પડી ભાંગ્યો હતો. લોકડાઉનમાં ગરીબ લોકોને મદદ કરવાની કામગીરીમાં આગળ રહેતા આ યુવાનનો વેપાર નહિ ચાલતા સતત માનસિક તણાવ અનુભવતો હતો. પરિવારનું ગુજરાન ચાલવું મુશ્કેલ પડતું હોવાને કારણે ગતરોજ આવેશમાં આવી જઈને પોતા ઓફિસમાં ગળે આપઘાત કરી લીધો
 
બનાવ@સુરતઃ ઓનલાઇન વેપારમાં નુકશાન જતાં યુવકે ઓફિસમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

ઓનલાઇન વેપારમાં પોતાના એક મિત્ર સાથે ભાગીદારીમાં કરતા હતા. જોકે, લોકડાઉનન લઈને તેનો વેપાર પડી ભાંગ્યો હતો. લોકડાઉનમાં ગરીબ લોકોને મદદ કરવાની કામગીરીમાં આગળ રહેતા આ યુવાનનો વેપાર નહિ ચાલતા સતત માનસિક તણાવ અનુભવતો હતો. પરિવારનું ગુજરાન ચાલવું મુશ્કેલ પડતું હોવાને કારણે ગતરોજ આવેશમાં આવી જઈને પોતા ઓફિસમાં ગળે આપઘાત કરી લીધો હતો.

કોરોના મહામારી વચ્ચે લોકોના વેપાર ઉદ્યોગ ઠપ્પ થઇ જતા લોકો પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકતા નથી. સુરતના અમરેલીના સાવરકુંડલાના છાપરી ગામના વતની અને હાલ મોટાવરાછાની રોયલ રેસિડેન્સીમાં રહેતા 26 વર્ષિય તરુણ પરસોતમભાઈ ગુંદરણીયા સુરતમાં મોટા વરાછાના લજામણી ચોક નજીક ભાડાની ઓફિસમાં ઓનલાઇનનો વેપાર કરે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઘટનાની જાણકારી પાડોસી દુકાનવાળાને થતા આ યુવાન વેપારીના પરીવાર સાથે પોલીસને જાણકારી આપી હતી ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવી આ મામલે ગુનો નોંધ્યો છે. આ મામલે તપાસ શરૂ કરી છે. જોકે, બીજી બાજુ પરિવાર યુવાન વેપારીના આ પગલાને કારણે શોકમાં ગરકાઉ થઇ ગયુ છે.