બનાવ@સુરતઃ તાંત્રિકે પ્રસાદ ખવડાવી કતારગામની મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યુ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના કાળમાં સુરતની યુવતીએ પોતાનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઇને વડોદરાના એક તાંત્રિક પાસે વિધિ કરાવી હતી. જોકે આ વિધિ દરમિયાન સુરતની યુવતી સાથે તાંત્રિકે દુષ્કર્મ આચર્યુ હતું. આ તાંત્રિક વિરુદ્ધ ભાવનગર ખાતે દુસ્કર્મની ફરિયાદ નોંધાતા સુરતની યુવતી એ પણ આ તાંત્રિક વિરુદ્ધ હિંમત કરી કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
 
બનાવ@સુરતઃ તાંત્રિકે પ્રસાદ ખવડાવી કતારગામની મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યુ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના કાળમાં સુરતની યુવતીએ પોતાનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઇને વડોદરાના એક તાંત્રિક પાસે વિધિ કરાવી હતી. જોકે આ વિધિ દરમિયાન સુરતની યુવતી સાથે તાંત્રિકે દુષ્કર્મ આચર્યુ હતું. આ તાંત્રિક વિરુદ્ધ ભાવનગર ખાતે દુસ્કર્મની ફરિયાદ નોંધાતા સુરતની યુવતી એ પણ આ તાંત્રિક વિરુદ્ધ હિંમત કરી કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. . જોકે તેનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઇને તેના પરિચિત દ્વારા તેને એક તાંત્રિક પાસે વિધિ કરવા માટે જાણકારી આપવામાં આવી હતી. જેને લઈને પોતાનો વેપાર સારો ચાલે તે માટે આ યુવતીનો પરિવાર 2017માં વડોદરાનો તાંત્રિક-જ્યોતિષ હિરેન પુરોહિત પાસે વિધિ કરાવવાથી વેપાર-ધંધો બરાબર ચાલશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના કતારગામ ખાતે રહેતી યુવતી પરિવારને સાડીમાં સ્ટોન લગાડીને આર્થિક રીતે મદદ કરતી હતી એટલે 2017માં હિરેન નરેન્દ્ર પુરોહિતને સુરત બોલાવાયો હતો. તે યુવતીના ઘરે ગયો અને તેને કહ્યું કે, તેના પર માતાજીના આશિર્વાદ છે. કેટલાક જાદુ પણ કર્યા હતા. જેથી યુવતીના પરિવારજનો તેનાથી પ્રભાવિત થયા હતા. ઘરના તમામ સભ્યો પર તેણે વિધિ કરી હતી. હિરેને વિધિના રૂપિયા પણ લીધા હતા. સૌથી છેલ્લે યુવતી પર વિધિ કરવાના સમયે હિરેને કહ્યું કે, તેની વિધિ એકાંતમાં કરવી પડશે. જો, અનિષ્ટ તત્વો બહાર નીકળશે તો તે બીજાને ચોટી જાય એમ છે. એમ કહીને યુવતીને અલગ રૂમમાં બોલાવી હતી. ત્યાં તેની પર વિધી કરીને ઘેનવાળો પ્રસાદ ખવડાવ્યો હતો. તેથી યુવતી બેહોશ થઈ ગઈ હતી.’

સુત્રોએ જણાવ્યુ હતુ કે, યુવતીના આક્ષેપ મુજબ તે બેહોશ થઈ ત્યારે હિરેને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો અને યુવતીના નગ્ન ફોટા પણ પાડી લીધા હતા. જોકે ઘટનાની જાણકારી મળતા યુવતીએ પોતાની આબરૂ બચાવી લેવા તાંત્રિક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું, ત્યારે તાંત્રિકે પોતે કુંવારો હોવાનું જણાવ્યું હતું. જોકે આ તાંત્રિક વિરુદ્ધ હાલમાં ભાવનગર ખાતે એક મહિલા દ્વારા બળાત્કારની ફરિયાદ કરવામાં આવી તેવું આ યુવતીને ખબર પડતા આ યુવતીએ હિંમત કરી આ તાંત્રિક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ સુરતના કતારગામ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે