ઘટના@સુરેન્દ્રનગર: હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગી આગ, સદનસીબે જાનહાનિ ટળી

અટલ સમાચાર, સુરેન્દ્રનગર કોરોના મહામારી વચ્ચે આજે સવારના સમયે સુરેન્દ્રનગરની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને બચાવી લેવાયા છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઇ રહી છે. હાલની સ્થિતિએ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આ તરફ કોવિડ વોર્ડમાં 15 જેટલા દર્દીઓ સારવાર
 
ઘટના@સુરેન્દ્રનગર: હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગી આગ, સદનસીબે જાનહાનિ ટળી

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

કોરોના મહામારી વચ્ચે આજે સવારના સમયે સુરેન્દ્રનગરની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને બચાવી લેવાયા છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઇ રહી છે. હાલની સ્થિતિએ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આ તરફ કોવિડ વોર્ડમાં 15 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@સુરેન્દ્રનગર: હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગી આગ, સદનસીબે જાનહાનિ ટળી

સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ લાગવાની દૂર્ઘટના સામે આવી છે. આગની ઘટનાને કારણે અફરાતફરી મચી ગઈ હતી. પરંતુ સદ્નનસીબે કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે. કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓએ ભાગવું પડ્યું હતુ. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. અચાનક હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ ભભૂકી ઉઠી હતી જેને પરિણામે તુરંત જ બચાવ કામગીરી હાથ ધરાઈ હતી અને 15 દર્દીઓ જે સારવાર હેઠળ હતા તે તમામને આબાદ બચાવી લેવાયા છે.