ઘટના@વડોદરા: એક જ પરિવારના ગુમ થયેલા 3 બાળકોના તળાવમાંથી મૃતદેહ મળ્યાં

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે કરજણ તાલુકાના ગામેથી તળાવમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળી આવતાં હડકંપ મચી ગયો છે. ગત દિવસોએ ગામના ત્રણ બાળકો ગુમ થયા બાદ તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન ગામના તળાવમાંથી મૃતદેહો મળી આવતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, આ ત્રણેય બાળકો એક જ પરિવારના
 
ઘટના@વડોદરા: એક જ પરિવારના ગુમ થયેલા 3 બાળકોના તળાવમાંથી મૃતદેહ મળ્યાં

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે કરજણ તાલુકાના ગામેથી તળાવમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળી આવતાં હડકંપ મચી ગયો છે. ગત દિવસોએ ગામના ત્રણ બાળકો ગુમ થયા બાદ તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન ગામના તળાવમાંથી મૃતદેહો મળી આવતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, આ ત્રણેય બાળકો એક જ પરિવારના છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના કોલીયાદ ગામના તળાવમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે. ગામના ત્રણ બાળકો ગુમ થતા શોધખોળ કરવામાં આવી રહી હતી. જોકે શોધખોળ દરમ્યાન ગામના તળાવમાંથી ત્રણેય બાળકના મૃતદેહ મળી આવતાં ગામ સહિત પંથકમાં શોકનું વાતાવરણ બન્યુ છે. તળાવમાંથી મળેલા ત્રણેય બાળકો એક જ પરિવારના છે. પરિવાર સહિત પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, એક સાથે ત્રણ બાળકો ગુમ થઇ જતાં એક સમયે પરિવાર સહિત ગ્રામજનો ચિંતાતુર જોવા મળ્યાં છે. જોકે તળાવમાંથી ત્રણેય મૃતદેહ મળતાં પરિવારજનો સહિત પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ. જોકે સ્થાનિક ચર્ચાઓ મુજબ ગુમ થયેલા બાળકોનું ડુબી જવાથી મોત થયુ છે.