બનાવ@વડોદરાઃ બે અલગ-અલગ અકસ્માતમાં 2 યુવકોના કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક વડોદરા શહેર પાસે બે અલગ-અલગ અકસ્માતમાં બે યુવાનનાં મોત થયા છે. વડોદરા શહેર નજીક જી.એસ.એફ.સી.ના મેઇન ગેટ પાસે મંગળવારે મોડી રાત્રે એસ.ટી બસની અડફેટે બાઇકસવાર બે યુવાન આવી ગયા હતા, જેમાં એક યુવાનનું સ્થળ પર મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
 
બનાવ@વડોદરાઃ બે અલગ-અલગ અકસ્માતમાં 2 યુવકોના કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરા શહેર પાસે બે અલગ-અલગ અકસ્માતમાં બે યુવાનનાં મોત થયા છે. વડોદરા શહેર નજીક જી.એસ.એફ.સી.ના મેઇન ગેટ પાસે મંગળવારે મોડી રાત્રે એસ.ટી બસની અડફેટે બાઇકસવાર બે યુવાન આવી ગયા હતા, જેમાં એક યુવાનનું સ્થળ પર મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત વડોદરા નજીક પોર પાસે બાઈક સ્લિપ ખાઇ જતાં એક યુવાનનું મોત થયું હતું. જ્યારે એક યુવાન ઇજાગ્રસ્ત થયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુમાડ તરફથી જી.એસ.એફ.સી. મેઇન ગેટ થઇ અમદાવાદ જવાના રસ્તે બ્રિજ નીચે મંગળવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં અકસ્માત થયો હતો, જેમાં એસ.ટી બસની અડફેટે આવેલા બાઇકસવાર બે યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતના આ બનાવમાં બાઇકસવાર યુવકો પૈકી દીપકકુમાર રામબાબુ સિંગ(ઉં.27)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે વિવેક કનૈયાલાલ શાહ(ઉં.37) નામના યુવાનની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે 108 મારફત સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બંન યુવાનો મૂળ બિહારના જગદીશપુર ગામના રહેવાસી છે અને હાલ રાયકા ગામ પાસે એલએન્ડટી કંપનીનું કામ કરતા હતા અને ત્યાં જ રહેતા હતા.

વડોદરા નજીક પોર પાસે બાઈક સ્લિપ ખાઇ જતાં એક યુવાનનું મોત થયું હતું. વડોદરાના ન્યૂ વીઆઇપી રોડ પર આવેલા સંતોષીનગરમાં રહેતા રાજુભાઇ વસાવા અને ન્યૂ વીઆઇપી રોડ પર આવેલા રાજીવનગરના રહેવાસી અર્જુનસિંહ અશોકસિંહ ઠાકોર(ઉં.25) બાઇક પર ભરૂચથી વડોદરા તરફ આવતા હતા ત્યારે પોર બ્રિજ પાસે બાઇકની આગળની બ્રેક મારતાં બંને જણ નીચે પટકાયા હતા, જેમાં બાઇકની પાછળ બેઠેલા અર્જુનસિંહ અશોકસિંહ ઠાકોરને ગંભીર ઇજાગ્રસ્ત થતાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે રાજુભાઇ વસાવાની સારવાર ચાલી રહી છે.