ઘટના@દિયોદર: કારની ટક્કરે રીક્ષા પલટી મારી ગઇ, ચારથી વધુ ઇજાગ્રસ્ત
અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)
કોરોના મહામારી વચ્ચે દિયોદરના કોતરવાડા નર્મદા કેનાલ પાસે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્મત સર્જાતા રીક્ષાન પલટી મારી ગઇ હતી. ઘટનામાં ચારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં તમામને સારવાર અર્થે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ તરફ ઘટનાને લઇ સ્થાનિકો સહિત લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના કોતરવાડા નર્મદા કેનાલના પુલ ઉપર વહેલી સવારે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સવારે થરાદથી આવી રહેલી વેગેનાર ચાલકે ભાભરથી થરાદ જઈ રહેલી ઓટો રીક્ષાને ટક્કર મારી હતી. જેથી રીક્ષા પલટી મારી જતાં ભાભરના વજાપુરના ચારથી પાંચ પેસેન્જરો ઇજાગ્રસ્ત થયા હતા. તમામને તાત્કાલિક 108 મારફતે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.