J&K: પાકિસ્તાને સતત બીજા દિવસે સીઝફાયર તોડ્યું, સેનાના 2 જવાન શહીદ

અટલ સમાચાર, ડેસ્ક રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ પાકિસ્તાનની સેનાએ આજે રાજોરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં ગોળીબાર કર્યો. તેમાં સેનાના બે જવાન નાયક પ્રેમ બહાદુર ખત્રી અને રાઈફલમેન સુખબીર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પછીથી તેમનુ મૃત્યુ થયું હતું. પાકિસ્તાન લાઈન ઓફ કન્ટ્રોલ(LOC) પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. શુક્રવારે તેણે જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં ભારે ગોળીબાર
 
J&K: પાકિસ્તાને સતત બીજા દિવસે સીઝફાયર તોડ્યું, સેનાના 2 જવાન શહીદ

અટલ સમાચાર, ડેસ્ક

રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ પાકિસ્તાનની સેનાએ આજે રાજોરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં ગોળીબાર કર્યો. તેમાં સેનાના બે જવાન નાયક પ્રેમ બહાદુર ખત્રી અને રાઈફલમેન સુખબીર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પછીથી તેમનુ મૃત્યુ થયું હતું. પાકિસ્તાન લાઈન ઓફ કન્ટ્રોલ(LOC) પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. શુક્રવારે તેણે જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં ભારે ગોળીબાર કર્યો હતો. તેમાં ભારતીય આર્મીના બે જવાનો શહીદ થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાકિસ્તાનના પુંછ જિલ્લાના કિરની અને શાહપુર સેક્ટરોમાં મોર્ટારની સાથે નાના હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમાં સ્વતંત્ર સિંહ શહીદ થયા હતા. આ સિવાય એક નાગરીકને ઈજા થઈ હતી. સ્વતંત્ર સિંહ ઉતરાખંડના ગડવાલ જિલ્લાના રહેવાસી હતા. થોડા દિવસો પહેલા જ પાકિસ્તાનની સેનાએ પુંછના ડિગવાર, માલતી અને દલ્લન વિસ્તારોમાં પણ સીઝફાયરનું વાયોલેશન કર્યું હતું.