J&K: કુલગામમાં આતંકી હુમલો, BJP મહાસચિવ સહિત 3 કાર્યકર્તાઓની હત્યા

અટલ સમાચા, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે પણ દેશના સરહદી વિસ્તારોમાં આતેકી હુમલાઓ ચાલુ રહે છે. જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ એક આતંકી હુમલામાં બીજેપીના 3 કાર્યકર્તાઓની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના ગુરુવારે સાંજે બની હતી. ફિદા હુસૈન કુલગામ ભાજપ યુવા મોરચાના મહાસચિવ હતા. તેમની સાથે કાર્યકર્તા ઉમર રાશિદ બેગ અને ઉમર રમઝાન
 
J&K: કુલગામમાં આતંકી હુમલો, BJP મહાસચિવ સહિત 3 કાર્યકર્તાઓની હત્યા

અટલ સમાચા, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે પણ દેશના સરહદી વિસ્તારોમાં આતેકી હુમલાઓ ચાલુ રહે છે. જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ એક આતંકી હુમલામાં બીજેપીના 3 કાર્યકર્તાઓની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના ગુરુવારે સાંજે બની હતી. ફિદા હુસૈન કુલગામ ભાજપ યુવા મોરચાના મહાસચિવ હતા. તેમની સાથે કાર્યકર્તા ઉમર રાશિદ બેગ અને ઉમર રમઝાન હાઝમની પણ હત્યા કરવામાં આવી છે. એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને બે લોકોના મોત હોસ્પિટલ લઈ જતા સમયે થયા હતા.

પોલીસના મતે આ ઘટનાની જવાબદારી પાકિસ્તાનના એક આતંકી જુથે લીધી છે. તેણે કાશ્મીરમાં નેતાઓ પર આવા હુમલા કરવાની ધમકી આપી છે. પોલીસના મતે કાર્યકર્તા કારમાંથી જઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ફિદા હુસૈન અને ઉમર હાઝમ કાઝીગુંડના રહેવાસી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આતંકીઓ એક ગાડીમાં આવ્યા અને ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. સિક્યોરિટી ફોર્સે આ હુમલા પછી વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કરી દીધું છે. અબ્દુલાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાથી ભયાનક ખબર આવી રહી છે. લક્ષ્ય બનાવીને ભાજપા કાર્યકર્તાઓ પર કરવામાં આવેલા આતંકી હુમલાની નિંદા કરું છું. અલ્લાહ તેમને જન્નત આપે અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારને તાકાત મળે.