જૂનાગઢઃ પૂર્વ પ્રેમીએ પરિણીત પ્રેમિકાની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક પોલીસે જણાવ્યા મુજબ, જૂનાગઢમાં દોલતપરામાં જીઆઇડીસી-2માં રહેતા ભાવનાબેન સોનુ ગોસ્વામી નામની પરણિતા ગઇકાલે બપોર બાદ ઘર નજીક આવેલી દુકાને શાક લેવા ગઇ હતી. આ દરમિયાન તેનો પૂર્વ પ્રેમી સંજય પ્રવિણ ગોસ્વામી (રે. લાઠી) બાઇક પર આવ્યો હતો. પરિણીતાને જોઇને તેને પેટમાં, ગળામાં અને છાતીમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. અટલ
 
જૂનાગઢઃ પૂર્વ પ્રેમીએ પરિણીત પ્રેમિકાની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક

પોલીસે જણાવ્યા મુજબ, જૂનાગઢમાં દોલતપરામાં જીઆઇડીસી-2માં રહેતા ભાવનાબેન સોનુ ગોસ્વામી નામની પરણિતા ગઇકાલે બપોર બાદ ઘર નજીક આવેલી દુકાને શાક લેવા ગઇ હતી. આ દરમિયાન તેનો પૂર્વ પ્રેમી સંજય પ્રવિણ ગોસ્વામી (રે. લાઠી) બાઇક પર આવ્યો હતો. પરિણીતાને જોઇને તેને પેટમાં, ગળામાં અને છાતીમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ આખા બનાવ સમયે દુકાનદાર બકુલભાઇ સંજયને પકડીને દૂર લઇ ગયા હતા પરંતુ તેમને પણ ધક્કો મારીને તે મહિલા પાસે જઇને તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ સંજય ત્યાં જ બેસી ગયો હતો. હત્યારાએ જાતે જ વેપારીને કહ્યું હતું કે, પોલીસને ફોન કરો. પોલીસ આવતા જ તેની પાસેથી છરી લઇને તેની અટકાયત કરી હતી. હત્યારા પ્રેમીએ દુકાનદારને જણાવ્યું હતું કે તે 6 મહિનાથી ભાવનાને શોધે છે.

સંજય અને ભાવના વચ્ચે છેલ્લા 6થી 7 વર્ષથી પ્રેમ સંબંધ હતો. સંજય લાઠીમાં હીરા ઘસવાનું કામ કરતો અને ભાવનાના પહેલા લગ્ન થઈ ગયા હતા. પહેલા લગ્નથી તેને પુત્ર જસ્મીન અને બે પુત્રીઓ મહેક અને તનીષા એમ 3 સંતાનો થયા હતા. પણ પ્રથમ પતિથી છૂટાછેડા લીધા બાદ તે બગસરામાં ત્રણેય સંતાનો સાથે રહેતી હતી. ત્યારે તેને જૂનાગઢ જીઆઇડીસી-2 માં કામ કરતા મૂળ કાનપુરના સોનુ ગૌસ્વામી સાથે પ્રેમ થયો હતો. બંનેએ 9 માસ પહેલાં રજીસ્ટર્ડ મેરેજ કર્યા હતા. આ દરમ્યાન 7 વર્ષથી સંજય અને ભાવનાના પણ સંબંધ હતા. આથી સંજયને લાગી આવ્યું હતું.