કાંકરેજઃરાણપુર કેનાલમાંથી યુવકની લાશ મળી

અટલ સમાચાર, કાંકરેજ, ભગવાન રાયગોર કાંકરેજ તાલુકાના રાણપુર ગામે નર્મદા મુખ્ય કેનાલમાં અજાણ્યા યુવકની લાશ જોવા મળી હતી. કાંકરેજ તાલુકાના મુખ્ય નર્મદા કેનાલ મોતની કેનાલ બની રહી છે. ત્યારે કેનાલમાં અજાણ્યા પુરુષની લાશ નર્મદા કેનાલમાંથી રિફાઇનરી પ્લાન્ટમાં પાણી જતા નાળામાં દેખાઈ હતી. જ્યારે આજુબાજુ સ્થાનિકોએ પાણીમાં તરતી લાશ જોઈ જતા થરા પોલીસ ને જાણ કરતાં
 
કાંકરેજઃરાણપુર કેનાલમાંથી યુવકની લાશ મળી

અટલ સમાચાર, કાંકરેજ, ભગવાન રાયગોર

કાંકરેજ તાલુકાના રાણપુર ગામે નર્મદા મુખ્ય કેનાલમાં અજાણ્યા યુવકની લાશ જોવા મળી હતી. કાંકરેજ તાલુકાના મુખ્ય નર્મદા કેનાલ મોતની કેનાલ બની રહી છે. ત્યારે કેનાલમાં અજાણ્યા પુરુષની લાશ નર્મદા કેનાલમાંથી રિફાઇનરી પ્લાન્ટમાં પાણી જતા નાળામાં દેખાઈ હતી. જ્યારે આજુબાજુ સ્થાનિકોએ પાણીમાં તરતી લાશ જોઈ જતા થરા પોલીસ ને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી કાર્યવાહી ચાલુ કરી હતી.

પાણીમાં ફોગાયેલ હોવાથી લાશની ઓળખ થઈ નથી, પરંતુ આશરે 30થી35 વર્ષની ઉંમરના યુવકની હોવાનું પ્રાથમિક તબક્કે મનાઈ રહ્યું છે. લાલ રંગનું શર્ટ, કાળુ પેન્ટ પહેરેલી હાલતમાં કેનાલના પાણી ઉપર પુરૂષની લાશ દેખાઈ આવી હતી. અને નગરપાલિકાને જાણ કરી માણસોને બોલાવી લાશને પોલીસે વધુ તપાસ કરવા માટે કાર્યવાહી ચાલુ કરી હતી. વધુ તપાસ કરતા જાણવા મળેલ કે પૂરાવો ના મળતા પુરૂસ ની લાશને બિનવારસીનું થરા ખાતે
રેફરલ માં પી.એમ કરી દફનાવામાં આવી હતી.