ખેડબ્રહ્માઃ મીની અંબાજી મેળા બાદ NSSના 150 સ્વયંસેવકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા

અટલ સમાચાર, ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ) યાત્રાધામ ખેડબ્રહ્મામાં તા-8 થી 14 સપ્ટેમ્બર 2019 દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હતો. આ મહામેળા બાદ અંબાજી મંદિર પરિસરમાં થયેલી ગંદગીને દૂર કરવા ખેડબ્રહ્મા અંબાજી માતાજી મંદિર પરિસરમાં મહાસફાઇ અભિયાન હાથ ધરાયું હતું. અંબાજી માતાજી મંદિરના ટ્રસ્ટી પ્રવિણસિંહ સોલંકી, મેનેજર ઘનશ્યામસિંહ રહેવર, સફાઇ કર્મીઓની ટીમ સહિત ડી.ડી ઠાકર આર્ટસ અને કે.જે
 
ખેડબ્રહ્માઃ મીની અંબાજી મેળા બાદ NSSના 150 સ્વયંસેવકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા

અટલ સમાચાર, ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ)

યાત્રાધામ ખેડબ્રહ્મામાં તા-8 થી 14 સપ્ટેમ્બર 2019 દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હતો. આ મહામેળા બાદ અંબાજી મંદિર પરિસરમાં થયેલી ગંદગીને દૂર કરવા ખેડબ્રહ્મા અંબાજી માતાજી મંદિર પરિસરમાં મહાસફાઇ અભિયાન હાથ ધરાયું હતું.

ખેડબ્રહ્માઃ મીની અંબાજી મેળા બાદ NSSના 150 સ્વયંસેવકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા

અંબાજી માતાજી મંદિરના ટ્રસ્ટી પ્રવિણસિંહ સોલંકી, મેનેજર ઘનશ્યામસિંહ રહેવર, સફાઇ કર્મીઓની ટીમ સહિત ડી.ડી ઠાકર આર્ટસ અને કે.જે પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના એન.એસ.એસ. યુનિટના સ્વયંસેવકો દ્રારા સફાઇ કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં એન.એસ.એસ.ના 150 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય એન.ડી પટેલ તથા પ્રોગ્રામ ઓફિસર ડાૅ.જે.એસ.રાઠવા તેમજ ડાૅ.કે.ડી પટેલ તથા શક્તિસિંહ સોલંકી દ્રારા કરવામાં આવ્યું હતું.