ખેડબ્રહ્માઃ ખેડવામાં વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા તાલુકાની ખેડવા ગામે આવેલ એકલવ્ય ઉત્તર બુનિયાદિ વિદ્યાવિહાર અને સરકારી ઉ.મા શાળાના મુ.શી. જેઠાજી હગરાજી પરમાર વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ સ્કૂલમાં યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે પરોય હાઈસ્કૂલના નિવૃત આચાર્ય કે.સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સેવા નિકેતન ટ્રસ્ટના મંત્રી શંકરભાઇ પાંડોર, ભાવરસિંહ ચંદવાત, કુલદીપ બારોટ
 
ખેડબ્રહ્માઃ ખેડવામાં વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા તાલુકાની ખેડવા ગામે આવેલ એકલવ્ય ઉત્તર બુનિયાદિ વિદ્યાવિહાર અને સરકારી ઉ.મા શાળાના મુ.શી. જેઠાજી હગરાજી પરમાર વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ સ્કૂલમાં યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે પરોય હાઈસ્કૂલના નિવૃત આચાર્ય કે.સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત સેવા નિકેતન ટ્રસ્ટના મંત્રી શંકરભાઇ પાંડોર, ભાવરસિંહ ચંદવાત, કુલદીપ બારોટ સહિત જેઠાભાઈનો પરિવાર, શાળાના બાળકો, સ્ટાફ અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ જેઠાભાઈને નિવૃત્ત જીવન સખુમાય નીવડે તેવી શુભકામનાઓ પાઠવી મોમેન્ટો અને શ્રીફળ અને શાલ આપી વિદાય પાઠવી હતી.