ખેડબ્રહ્મા: નાયબ મામલતદાર અરુણદાન એસ. ગઢવીનો વિદાય સમારંભ યોજાયો
અટલ સમાચાર,ખેડબ્રહ્મા, (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અરુણદાન એસ. ગઢવીને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી થતાં આજે ખેડબ્રહ્મા મામલતદાર કચેરીમાં પ્રાન્ત અધિકારી કૌશિક મોદીની અધ્યક્ષતામાં વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં મામલતદાર જી.ડી.ગમાર, શિરસ્તેદાર હર્ષવર્ધન પરમાર, નાયબ મામલતદાર હેમેન્દ્રસિંહ પરમાર તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બઢતી પામેલ અરુણદાન ગઢવીની કામગીરીને
Jul 1, 2019, 19:51 IST
અટલ સમાચાર,ખેડબ્રહ્મા, (રમેશ વૈષ્ણવ)
ખેડબ્રહ્મા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અરુણદાન એસ. ગઢવીને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી થતાં આજે ખેડબ્રહ્મા મામલતદાર કચેરીમાં પ્રાન્ત અધિકારી કૌશિક મોદીની અધ્યક્ષતામાં વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં મામલતદાર જી.ડી.ગમાર, શિરસ્તેદાર હર્ષવર્ધન પરમાર, નાયબ મામલતદાર હેમેન્દ્રસિંહ પરમાર તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બઢતી પામેલ અરુણદાન ગઢવીની કામગીરીને બિરદાવી હતી.