ખેડબ્રહ્મા: વાવાઝોડા સાથે વરસાદમાં વીજ કરંટ લાગવાથી નંદીનું મોત

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) વાયુ વાવાઝોડાને તંત્ર ખડેપગે તૈયાર છે ત્યારે ગત રાત્રિએ ઉત્તર ગુજરાતમાં મોડી રાત સુધી વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્મામાં વાવાઝોડા સાથે વરસાદમાં વીજ કરંટ લાગવાથી એક નંદીનું મોત નિપજયુ છે. જોકે, સમગ્ર બાબતે ખેડબ્રહ્મા ડીઝાસ્ટર વિભાગમાં મૃત્યુ પામનાર નંદી વિશે કોઇ જ માહિતિ નથી. ખેડબ્રહ્મા શહેરમાં ગઇકાલે સાંજથી મોડીરાત સુધી ભારે વાવાઝોડા
 
ખેડબ્રહ્મા: વાવાઝોડા સાથે વરસાદમાં વીજ કરંટ લાગવાથી નંદીનું મોત

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

વાયુ વાવાઝોડાને તંત્ર ખડેપગે તૈયાર છે ત્યારે ગત રાત્રિએ ઉત્તર ગુજરાતમાં મોડી રાત સુધી વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્મામાં વાવાઝોડા સાથે વરસાદમાં વીજ કરંટ લાગવાથી એક નંદીનું મોત નિપજયુ છે. જોકે, સમગ્ર બાબતે ખેડબ્રહ્મા ડીઝાસ્ટર વિભાગમાં મૃત્યુ પામનાર નંદી વિશે કોઇ જ માહિતિ નથી.

ખેડબ્રહ્મા શહેરમાં ગઇકાલે સાંજથી મોડીરાત સુધી ભારે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. જેમાં વીજ કરંટથી એક નંદીનું મોત નિપજયુ હોવાનું સામે આવ્યુ છે. જોકે આ બાબતે ખેડબ્રહ્મા ડીઝાસ્ટર કચેરીએ તપાસ કરતા તેમણે જણાવેલ કે આ બાબતે અમોને કોઇ માહિતિ નથી. સમગ્ર બાબતે યુ.જી.વી.સી.એલ.ના અધિકારીને પુછતાં તેમણે જણાવ્યુ હતુ કે, હજુ સુધી અમારી પાસે આવી કોઇ બાબતની અરજી આવી નથી જો અરજી આવશે તો તપાસ કરી પંચનામું કરવામાં આવશે.