કોલાહલ@રાધનપુર: કિશોરી સિવાયના દુષ્કર્મ હોઈ શકે ? હવસખોર ભુવો ઝબ્બે

અટલ સમાચાર, રાધનપુર પાટણ જીલ્લાના રાધનપુર પંથકમાં ફરી એકવાર દુષ્કર્મની ચકચારી ઘટના સામે આવી છે. ગામનાં મંદિરે ડેરો જણાવતાં વિશ્વાસ કેળવી કિશોરી સાથે બળજબરી પૂર્વક શરીરસુખ માણી લીધાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે ભુવાએ અત્યાર સુધી અન્ય કોઈને પણ હવસનો શિકાર બનાવ્યો હશે કે કેમ? તેને લઈ નાના એવા ગામમાં ભારે કોલાહલ મચી ગયો છે.
 
કોલાહલ@રાધનપુર: કિશોરી સિવાયના દુષ્કર્મ હોઈ શકે ? હવસખોર ભુવો ઝબ્બે

અટલ સમાચાર, રાધનપુર

પાટણ જીલ્લાના રાધનપુર પંથકમાં ફરી એકવાર દુષ્કર્મની ચકચારી ઘટના સામે આવી છે. ગામનાં મંદિરે ડેરો જણાવતાં વિશ્વાસ કેળવી કિશોરી સાથે બળજબરી પૂર્વક શરીરસુખ માણી લીધાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે ભુવાએ અત્યાર સુધી અન્ય કોઈને પણ હવસનો શિકાર બનાવ્યો હશે કે કેમ? તેને લઈ નાના એવા ગામમાં ભારે કોલાહલ મચી ગયો છે. પોલીસે ભુવાની ધરપકડ કરી તાત્કાલિક પૂછપરછ સહિતની તપાસ હાથ ધરી છે.

કોલાહલ@રાધનપુર: કિશોરી સિવાયના દુષ્કર્મ હોઈ શકે ? હવસખોર ભુવો ઝબ્બે

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાધનપુર તાલુકાના સરદારપુરા ગામે માતાજીના મંદિરે બેસતા ભુવાએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ભુવાએ સગીર યુવતીને વિધિના બહાને બોલાવી રાત્રીના સમયે ખેતરમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. તાંત્રિક વિધિ કરવાની હોઇ રાત્રિના સમયે એકલી જ આવીશ તો જ તારૂં સારૂં થશે કહીને વિશ્વાસમાં લીધી હતી. જેની ફરિયાદ બાદ 17 વર્ષીય સગીરાને ભુવા તરીકે ઓળખાતા ભરત ગૌસ્વામીએ હવસનો શિકાર બનાવી હોવાની ખબર આખા પંથકમાં પડી ગઈ હતી. ઘટનાને પગલે ભુવાએ વિશ્વાસ કેળવી ગામમાં અન્ય કોઈને હવસનો શિકાર બનાવી હશે કે કેમ ? તેવા સવાલોને પગલે ગામ સહિત તાલુકામાં કોલાહલ અને ચકચાર મચી ગઇ છે.

કોલાહલ@રાધનપુર: કિશોરી સિવાયના દુષ્કર્મ હોઈ શકે ? હવસખોર ભુવો ઝબ્બે

સુત્રોએ જણાવ્યુ હતું કે, દુષ્કર્મની ઘટનાને ભુવાએ અગાઉ પણ કોઈ કાંડ કર્યો હોઇ શકે છે. આ બાબતની સંભાવનાને ધ્યાનમાં રાખી પોલીસ દુષ્કર્મના આરોપી ભરત ગૌસ્વામીની આકરી પૂછપરછ કરી શકે છે. આ તરફ સરદારપુર સહિત આસપાસના ગામોમાં ભુવાના કાંડની ચર્ચાને પગલે સામાજીક અને ધાર્મિક આલમમાં ચકચાર મચી ગઇ છે.