વેવાઇ વેવાંણ એવા તે કયા કારણોથી ડરીને ભાગી ગયા હતા જાણો તેમના વિશે વધુ

અટલ સમાચાર, ડેસ્ક ચર્ચાસ્પદ રહેલા વેવાઇ અને વેવાણ કઇ બીકને કારણે તેઓ ભાગી ગયા હતા તે અંગે મોટો ખુલાસો થયો છે. મહત્વનું છે કે, 16 દિવસ સુધી નાસતા ફરતા વેવાઇ વેવાણ ગત રવિવારે રાતે પાછા ફર્યા હતા. સુરતમાં રવિવારે મોડીરાત્રે વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જ્યાં તેમણે પોતાની ભુલ થઇ હોવાનું નિવેદન આપ્યું
 
વેવાઇ વેવાંણ એવા તે કયા કારણોથી ડરીને ભાગી ગયા હતા જાણો તેમના વિશે વધુ

અટલ સમાચાર, ડેસ્ક

ચર્ચાસ્પદ રહેલા વેવાઇ અને વેવાણ કઇ બીકને કારણે તેઓ ભાગી ગયા હતા તે અંગે મોટો ખુલાસો થયો છે. મહત્વનું છે કે, 16 દિવસ સુધી નાસતા ફરતા વેવાઇ વેવાણ ગત રવિવારે રાતે પાછા ફર્યા હતા. સુરતમાં રવિવારે મોડીરાત્રે વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જ્યાં તેમણે પોતાની ભુલ થઇ હોવાનું નિવેદન આપ્યું હતું. હું મારી મરજીથી ગઈ હતી અને મરજીથી આવી છું. મને કોઈએ દબાણ કર્યું નથી. ત્યારબાદ સુરતમાં વેવાણ બાદ વેવાઈ પણ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. સોશિયલ મીડીયામાના કારણે ભારે ચર્ચાસ્પદ બનેલા વેવાઇ-વેવાણ પ્રેમ પ્રકરણનો અંત આવ્યો છે. વેવાઈ વેવાણ પોતાના ઘરેથી ભાગીને ઉજ્જૈન પહોંચી 16 દિવસ ગેસ્ટ હાઉસમાં રહ્યાં હતા. જોકે, તેમણે ત્યાંથી ફોન કર્યા હતા.

પોલીસમાં હાજર થયેલા વેવાઈએ પોતાના નિવેદનોમાં ઘણી જ ચોંકાવનારી વાતો કહી છે. તેમણે કહ્યું કે, 25 વર્ષ પહેલા તેઓ પિતા સાથે કતારગામ રહેતા હતાં. જ્યાં તેમની ઓળખાણ વેવાણ જોડે થઇ હતી. તેઓને એકબીજા સાથે પ્રેમ થયો હતો. પરંતુ અમુક કારણોસર તેમના લગ્ન થયા ન હતાં. જે બાદ વેવાણ અને વેવાઈનાં અલગ અલગ જગ્યાએ લગ્ન થયા હતાં. જે બાદ ફરીથી એક પ્રસંગમાં બંન્ને મળ્યા હતા જે બાદ ફરીથી તેઓ અવારનવાર વાતો અને મળતા થયા હતાં. આ દરમિયાન તેમના દીકરા-દીકરીની સગાઈ પણ થઇ ગઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દીકરા દીકરીની સગાઈ બાદ વેવાણનાં પતિને પોતાની પત્ની પર શક જતા સગાઈ તોડવાની વાત કરતા હતાં. ત્યારે વેવાણને ડર લાગ્યો કે જો આ વાત બહાર આવશે તો સમાજમાં બદનામી થશે. જેથી બંન્નેએ ઘર છોડીને જતા રહેવાનું નક્કી કર્યું હતું. જે બાદ તેમની વાત સાંભળીને વેવાણ પણ 10મી તારીખે બુલેટ લઇને વેવાણને લેવા આવ્યાં હતાં. જ્યાંથી બંન્ને કડોદરામાં એક જગ્યાએ બુલેટ મુકીને બસમાં ઉજ્જૈન ગયા હતાં. જ્યાં તેઓ એક ગેસ્ટ હાઉસમાં 16 દિવસ રહ્યાં હતાં.

સુરત અને નવસારીનાં યુવક-યુવતીના લગ્ન 14મી ફેબ્રુઆરી વૅલેન્ટાઇન ડૅનાં દિવસે થવાના હતા. તેમની સગાઈ થઇ ગઇ હતી. લગ્નની મોટા ભાગની તૈયારીઓ પણ થઇ ગઈ હતી. લગ્ન થાય તે પહેલા વરરાજાનાં પિતા અને વરવધૂની માતા બંને અચનાક ગુમ થઇ ગયા હતા. ત્યારે પરિવારનાં જણાવ્યા અનુસાર, વરરાજાના પિતા અને વરવધુની માતા બંને લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા. ત્યારે એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી કે આ બંનેએ લગ્ન પણ કરી લીધા છે. ઘણાં દિવસો સુધી ન મળતા બંન્ને પરિવારે અંતે આ અંગે પોલીસમાં જાણ કરી હતી. આ બધુ થતા જેમના લગ્ન થવાના હતા તેમણે પણ પોતાની સગાઈ તોડી નાંખીને લગ્ન ફોક કર્યા છે.