લોકસભા@ગુજરાતઃ કોંગ્રેસ પાસે 72 હજારનો કોઈ હિસાબ છે ? વિજય રૂપાણી

અટલ સમાચાર, રાજકોટ લોકસભા ચૂંટણીને લઈ પ્રચારના રૂપે સીએમ વિજય રૂપાણી રાજકોટમાં સભા ગજવી છે. તેમણે પ્રેશ કોન્ફરન્સ પણ યોજી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતી વખતે બીજેપી સરકારના કામો ગણાવ્યા હતા. તેમણે તે સાથે કોંગ્રેસ પર આકરાં પ્રહાર કર્યા હતા. આતંકવાદ સામેના પગલાં વિશે તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનને પહેલી વાર એકલું અને અણધાર્યું
 
લોકસભા@ગુજરાતઃ કોંગ્રેસ પાસે 72 હજારનો કોઈ હિસાબ છે ? વિજય રૂપાણી

અટલ સમાચાર, રાજકોટ

લોકસભા ચૂંટણીને લઈ પ્રચારના રૂપે સીએમ વિજય રૂપાણી રાજકોટમાં સભા ગજવી છે. તેમણે પ્રેશ કોન્ફરન્સ પણ યોજી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતી વખતે બીજેપી સરકારના કામો ગણાવ્યા હતા. તેમણે તે સાથે કોંગ્રેસ પર આકરાં પ્રહાર કર્યા હતા. આતંકવાદ સામેના પગલાં વિશે તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનને પહેલી વાર એકલું અને અણધાર્યું પાડી દીધું છે. આર્થીક વ્યવહાર પણ બંધ કરી હુરિયાતના નેતાઓ સામે કડક પગલા લેવામાં આવ્યા છે.

તેમણે વધુ જણાવ્યું હતું કે અમારી સરકારે 15 હજારથી વધુ કાયદાઓ બદલ્યા છે. વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા ઊભી કરી છે. વિજય રૂપાણીએ કોંગ્રેસના 72 હજાર વાર્ષીક આપાવી યોજના ઉપર પ્રશ્ન કરતા કહ્યું કે, કોંગ્રેસ પાસે 72 હજારનો કોઇ હિસાબ છે? કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત આંખના કણાની માફક કોંગ્રેસને હંમેશા ખુંચ્યું છે. ગુજરાતને અન્યાય પણ કરતા આવ્યા છે.