પ્રેમપ્રકરણઃ વેવાઇ અને વેવાણને જુદાઇ સહન ના થતાં ફરી ભાગી ગયા

અટલ સમાચાર, ડેસ્ક સુરતના વેવાઈ અને નવસારીની વેવાણની વાતમાં ફરી નવો વળાંક આવ્યો છે. તેઓ ફરીથી શનિવારે ફરી ભાગી ગયા છે. હવે એક બીજાની સાથે રહેવાનાં મક્કમ નિર્ધાર કરીને બંને જણા ફરી ભાગી જઈ વરાછામાં નવેસરથી પોતાનો સંસાર માંડ્યો હતો. જોકે, રવિવારે કોઈક કારણોસર ત્યાંથી પણ ભાગી જઈ નાસિકનાં ડુંગરી ગામમાં રૂમ ભાડે રાખી રહેવા
 
પ્રેમપ્રકરણઃ વેવાઇ અને વેવાણને જુદાઇ સહન ના થતાં ફરી ભાગી ગયા

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના વેવાઈ અને નવસારીની વેવાણની વાતમાં ફરી નવો વળાંક આવ્યો છે. તેઓ ફરીથી શનિવારે ફરી ભાગી ગયા છે. હવે એક બીજાની સાથે રહેવાનાં મક્કમ નિર્ધાર કરીને બંને જણા ફરી ભાગી જઈ વરાછામાં નવેસરથી પોતાનો સંસાર માંડ્યો હતો. જોકે, રવિવારે કોઈક કારણોસર ત્યાંથી પણ ભાગી જઈ નાસિકનાં ડુંગરી ગામમાં રૂમ ભાડે રાખી રહેવા લાગ્યા ત્યારે આ ઘટના ફરીથી ચર્ચાનો વિષય બની છે. ત્યારે આ મામલો ફરીથી કામરેજ પોલીસ મથકમાં પહોંચ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના કતારગામનાં બનનારા વેવાઈ અને નવસારીની વેવાણની ફરી ભાગી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં દીકરા-દીકરીની સગાઈ વખતે ભેગા થયેલા કોલેજકાળનાં મિત્રોને જુનો પ્રેમ ફરીથી યાદ આવ્યો હતો. આ બંને જણા ભાગી જતા આ કિસ્સો સમગ્ર રાજ્યભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો. આ લોકોનાં ભાગી ગયા બાદ તેમના બાળકોએ સગાઇ તોડી નાંખી હતી. વેવાઇને તેનો પરિવાર સ્વીકારવા તૈયાર હતો પરંતુ વેવાણને તેના પતિએ સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. જેથી વેવાણ તેમના પિતાના ઘરે હતા અને બંન્ને વચ્ચે કોઇ પણ રીતે સંપર્કમાં રહેવું નહીં તેવું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આવુ થઇ ન શક્યું અને તેઓ ફરીથી સંપર્કમાં આવ્યા. આશરે એક મહિના બાદ એટલે કે શનિવારનાં રોજ બપોરનાં 2 વાગ્યાની આસપાસ વેવાણ અને વેવાઇ ફરીથી ભાગી ગયા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ પહેલા ભાગી ગયેલા વેવાઇ વેવાણ 16 દિવસ સુધી ઉજ્જૈનમાં રહ્યા હતા. જોકે, પરત આવ્યાં બાદ એકાદ મહિનાના અંતરાલ પછી તેઓ ફરી ભાગી જતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. આ કિસ્સાએ લોકોમાં ભારે ચર્ચા જગાવી છે અને તેઓ હવે સાથે જ રહેશે તેવી વાત પણ આવી છે. રહેવા માટે આ લોકોએ વરાછા વિસ્તારમાં ભાડાનું મકાન પણ લીધું હતું જે બાદ નાસિક જતા રહ્યાંનું પણ ચર્ચાઇ રહ્યું છે.