કોરોના@મથુરાઃ રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ કોરોનામાં સપડાયા

અટલ સમાચાર. ડેસ્ક શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસ કોરોનામાં સપડાયા છે. નૃત્ય ગોપાલદાસને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી તેમનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો. તેમને હાલ ઓક્સિજન પર રખાયા છે. નૃત્ય ગોપાલદાસ હાલ મથુરામાં સારવાર કરાવી રહ્યા છે. આગરાના સીએમઓ અને તમામ ડોક્ટર નૃત્ય ગોપાલદાસની સારવાર માટે પહોચ્યા છે. સીએમયોગીએ મેદાંતા હોસ્પિટલના ડોક્ટરો
 
કોરોના@મથુરાઃ રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ કોરોનામાં સપડાયા

અટલ સમાચાર. ડેસ્ક
શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસ કોરોનામાં સપડાયા છે. નૃત્ય ગોપાલદાસને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી તેમનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો. તેમને હાલ ઓક્સિજન પર રખાયા છે. નૃત્ય ગોપાલદાસ હાલ મથુરામાં સારવાર કરાવી રહ્યા છે. આગરાના સીએમઓ અને તમામ ડોક્ટર નૃત્ય ગોપાલદાસની સારવાર માટે પહોચ્યા છે.
સીએમયોગીએ મેદાંતા હોસ્પિટલના ડોક્ટરો સાથે વાત કરી છે અને મહંત નૃત્ય ગોપાલદાસને ગુરુગ્રામ સ્થીત હોસ્પિટલમાં રીફર કરવાની તૈયારી છે.
નોધનીય છે કે નૃત્ય ગોપાલદાસ દરવર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીએ મથુરા આવે છે. મથુરા યાત્રા દરમિયાન તેમની આ વખતે તબીયત લથડી હતી. કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે.