મહારાષ્ટ્રઃ અજાણ્યા ઇસમે કુહાડીથી કાપી 4 સગીર ભાઈ-બહેનોની હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક મહારાષ્ટ્રના જલગાંવમાં એક અત્યંત હિચકારી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના 4 સગીર બાળકોની કોઈ અજાણ્યા વ્યક્તિએ કુહાડી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. માનવામાં આવે છે કે, બાળકોના માતા-પિતા ઘરે હાજર નહોતા અને તે એક પરિવાર મધ્ય પ્રદેશથી જલગાંવ કામની શોધમાં આવ્યો હતો. જલગાંવના બોરખેડા ગામમાં મુસ્તફા નામના એક
 
મહારાષ્ટ્રઃ અજાણ્યા ઇસમે કુહાડીથી કાપી 4 સગીર ભાઈ-બહેનોની હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક

મહારાષ્ટ્રના જલગાંવમાં એક અત્યંત હિચકારી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના 4 સગીર બાળકોની કોઈ અજાણ્યા વ્યક્તિએ કુહાડી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. માનવામાં આવે છે કે, બાળકોના માતા-પિતા ઘરે હાજર નહોતા અને તે એક પરિવાર મધ્ય પ્રદેશથી જલગાંવ કામની શોધમાં આવ્યો હતો. જલગાંવના બોરખેડા ગામમાં મુસ્તફા નામના એક વ્યક્તિના ખેતરોમાં આ પરિવાર કામ કરતો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જલગાંવના રાવેર તાલુકાના બોરખેડા ગામમાં થયેલા હ્યદયદ્રાવક હત્યાકાંડે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. બોરખેડા ગામના ખેતરમાં સવાર સવારમાં મળી આવેલા ચારેય નાના બાળકોના મૃતદેહથી ગામમાં ભારોભાર રોષ વ્યાપી ગયો છે. મહતાબ અને તેની પત્ની રૂમલી બાઈ મિલ્લાલા બોરખેડા ગામના જ મુસ્તફા નામના વ્યક્તિને ત્યાં ખેતી કરીને જીવન વ્યતિત કરી રહ્યું હતું. મહતાબ અને તેની પત્ની મધ્ય પ્રદેશના ગઢી વિસ્તારના રહેવાસી છે.

આ દંપતિ ચાર બાળકો સાથે મળીને ગામા જ ખેતીકામ કરી છેલ્લા 1 વર્ષથી અહીં જ રહી રહ્યો હતો. હાલ કોઈ કામસર ચારેય બાળકોને એકલા મુકી દંપત્તિ કામ અર્થે મધ્ય પ્રદેશ ગયું હતું. આ દરમિયાન ઘરમાં ચારેય બાળકો એકલા જ હતાં. મૃતકોમાં 12 વર્ષની દિકરી સઈતા, 11 વર્ષનો રાવલ, 8 વર્ષનો અનિલ અને 3 વર્ષની સુમન હતાં. આ ચારેયના મૃતદેહ ખેતમાલિક મુસ્તફાના ખેતરમાંથી મળી આવ્યા હતાં. પોલીસે સમગ્ર વિસ્તાર સીલ કરી દીધો છે અને સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ હત્યાકાંડ શહેરથી માત્ર એક જ કિલોમીટર દૂર અંજામ આપવામાં આવ્યો હતો.