મહેસાણાઃ જનસેવા ફાઉન્ડેશન દ્વારા કેન્ડલ માર્ચ યોજી શહિદોને શ્રધ્ધાંજલિ

અટલ સમાચાર, મહેસાણા 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામામાં જવાનો શહીદ થયાને એક વર્ષ પૂર્ણ થઇ ચુક્યુ છે. જે અનુસંધાને કાલે મહેસાણા શહેરમાં જનસેવા ફાઉન્ડેશન દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યા યુવાનો અને વડીલોની હાજરીમાં રેલી સ્વરૂપે મૌન રેલી નીકાળવામાં આવી હતી. આ રેલીમાં ઉપપ્રમુખ, મહામંત્રી, પ્રવક્તા જનસેવાના ફાઉન્ડેશન ધવલ સાધુ
 
મહેસાણાઃ જનસેવા ફાઉન્ડેશન દ્વારા કેન્ડલ માર્ચ યોજી શહિદોને શ્રધ્ધાંજલિ

અટલ સમાચાર, મહેસાણા

14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામામાં જવાનો શહીદ થયાને એક વર્ષ પૂર્ણ થઇ ચુક્યુ છે. જે અનુસંધાને કાલે મહેસાણા શહેરમાં જનસેવા ફાઉન્ડેશન દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યા યુવાનો અને વડીલોની હાજરીમાં રેલી સ્વરૂપે મૌન રેલી નીકાળવામાં આવી હતી. આ રેલીમાં ઉપપ્રમુખ, મહામંત્રી, પ્રવક્તા જનસેવાના ફાઉન્ડેશન ધવલ સાધુ અને બીજા ઘણા ભાઈઓ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.
.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પુલવામાં આતંકવાદી હુમલામાં થયેલ શહિદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. મહેસાણાના જનસેવા ફાઉન્ડેશન દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલીમાં યુવાનોએ હાથમાં પાસ્ટર અને મોટા ધ્વજ સાથે રેલીમાં જોડાયા હતા. આ કેન્ડલ માર્ચની રેલીમાં રવિ પટેલ મહેસાણા શહેર ભાજપ યુવા મોરચા, મયુર પટેલ મહેસાણા શહેર ભાજપ યુવા મોરચા, રવિન્દ્રસિંહ જાડેજા મહેસાણા શહેર ભાજપ યુવા મોરચા, અને મહેસાણા શહેરના જનસેવા ફાઉન્ડેશનના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.