મંથન@કટોસણઃ રાજપૂત સમાજના એકતા મહાસંમેલનમાં આગેવાનો ઉમટ્યા

અટલ સમાચાર, મહેસાણા, બેચરાજી (ભુરાજી ઠાકોર) વર્તમાન સયમમાં રાજપૂત સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, સામાજિક એકતા અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેમજ સમાજમાં રહેલા કુ-રિવાજો અને વ્યસનની બદીઓ દૂર થાય તે માટે આકબા ગામ ખાતે મહાકાળી ધામમાં રાજપૂત સમાજના આગેવાનો એકઠા થયા હતા. મહત્વનું છે કે કાર્યક્રમનો ઉદ્દેશ સામાજિક અને આર્થિક જરૂરિયાતો તથા યુવાવર્ગની અપેક્ષાઓ તેમજ
 
મંથન@કટોસણઃ રાજપૂત સમાજના એકતા મહાસંમેલનમાં આગેવાનો ઉમટ્યા

અટલ સમાચાર, મહેસાણા, બેચરાજી (ભુરાજી ઠાકોર)

વર્તમાન સયમમાં રાજપૂત સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, સામાજિક એકતા અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેમજ સમાજમાં રહેલા કુ-રિવાજો અને વ્યસનની બદીઓ દૂર થાય તે માટે આકબા ગામ ખાતે મહાકાળી ધામમાં રાજપૂત સમાજના આગેવાનો એકઠા થયા હતા. મહત્વનું છે કે કાર્યક્રમનો ઉદ્દેશ સામાજિક અને આર્થિક જરૂરિયાતો તથા યુવાવર્ગની અપેક્ષાઓ તેમજ આશાઓ પુરી કરવા ચુંવાળ-84 કટોસણ સ્ટેટ રાજપૂત સમાજ દ્વારા મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મંથન@કટોસણઃ રાજપૂત સમાજના એકતા મહાસંમેલનમાં આગેવાનો ઉમટ્યા

આ કાર્યક્રમમાં આનંદમૂર્તિ મહારાજ, કટોસણ સ્ટેટ રાજવી ધર્મપાલસિંહજી ઝાલા, કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, ગુજરાત ક્ષત્રિય સભા પ્રમુખ અને બિન અનામત નિગમના ડાયરેક્ટર કરણસિંહ ચાવડા, કડી રાજપૂત તાલુકા પ્રમુખ અજયસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ વિનુભા ઝાલા, મનુગીરી મહારાજ, બહાદુરસિંહ વાઘેલા, વિરેન્દ્રસિંહ કૃષ્ણપાલસિંહ ચાૈહાણ, તલુભા ઝાલા, તખુભા ઝાલા, નવુભા સોલંકી, જલુભા ઝાલા, રાજેન્દ્રસિંહ દરબાર-પ્રમુખ તાલુકા પંચાયત બેચરાજી, લક્ષ્મણસિંહ સોલંકી, ગજેન્દ્રસિંહ ઝાલા સહિત સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, દાતા તેમજ મોટી સંખ્યામાં સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

મંથન@કટોસણઃ રાજપૂત સમાજના એકતા મહાસંમેલનમાં આગેવાનો ઉમટ્યા