માતમ: વાવના પતિ-પત્નીની આત્મહત્યા, વડનગરના કિશોરનું શંકાસ્પદ મોત

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતમાં રવિવાર માતમનો સાબિત થયો છે. પતિ-પત્નીએ કેનાલમાં ઝંપલાવીને, મહિલાએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. જ્યારે વડનગર નજીકના કિશોરનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. કુદરતી મૃત્યુને બદલે સ્વયં મોત વ્હાલું કરતાં ચકચાર મચી ગઇ છે. 1, થરાદની મુખ્ય કેનાલમાં સ્થાનિક દંપતીએ ઝંપલાવ્યું હોવાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
 
માતમ: વાવના પતિ-પત્નીની આત્મહત્યા, વડનગરના કિશોરનું શંકાસ્પદ મોત

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત

ઉત્તર ગુજરાતમાં રવિવાર માતમનો સાબિત થયો છે. પતિ-પત્નીએ કેનાલમાં ઝંપલાવીને, મહિલાએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. જ્યારે વડનગર નજીકના કિશોરનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. કુદરતી મૃત્યુને બદલે સ્વયં મોત વ્હાલું કરતાં ચકચાર મચી ગઇ છે.

1, થરાદની મુખ્ય કેનાલમાં સ્થાનિક દંપતીએ ઝંપલાવ્યું હોવાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વાવ તાલુકાના માડકા ગામના પતિ પત્ની બાઇક ઉપર કેનાલ આવ્યા હતા. અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતકનાં વિરમભાઇ પટેલના બે વર્ષ અગાઉ લગ્ન હતા. મરનાર એકનો એક પુત્ર હતો કે જેણે પોતાની પત્ની સાથે મોત વ્હાલું કર્યું છે.

2,  ડીસા નજીક લાખનાસર ગામની પરિણીતાએ ઝાડ ઉપર લટકી આત્મહત્યા કરી લીધી હતી. 27 વર્ષીય રાધાબેન પરમારે પણ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લીધું છે. મૃતક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

3,  વડનગર નજીકના મઢાસણા ગામે પણ સાંજે માતમ છવાયો હતો. 14 વર્ષના કિશોરનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. જેનાથી ઠાકોર પરિવારના માથે આભ ફાટ્યું હતું. સ્થાનિકોએ ઝેરી જનાવર કરડવાથી મોત થયાની આશંકા બતાવી હતી.

ઉત્તર ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ અકસ્માતે મોતની ઘટનાઓ સામે આવતા સમાજ અને પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.