બેઠક@બનાસકાંઠા: 150થી વધુ ગૌશાળા સંચાલકો સાથે 3 મુદ્દાઓ પર ચર્ચા કરાઇ
અટલ સમાચાર, ડીસા(અંકુર ત્રિવેદી) કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠામાં ગૌશાળા સંચાલકોનો રોષ ઠારવા આજે ભાજપના દિગ્ગજોએ તેમની સાથે બેઠક કરી હતી. આજે ટેટોડા ગૌશાળા ખાતે સંચાલકો સાથેની બેઠકમાં ડીસા ધારાસભ્ય અને બનાસ ડેરીના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 150થી પણ વધુ ગૌશાળા સંચાલકો હાજર રહ્યા હતા. આ દરમ્યાન સંચાલકો સાથે 3 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી
Sep 14, 2020, 17:59 IST
અટલ સમાચાર, ડીસા(અંકુર ત્રિવેદી)
કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠામાં ગૌશાળા સંચાલકોનો રોષ ઠારવા આજે ભાજપના દિગ્ગજોએ તેમની સાથે બેઠક કરી હતી. આજે ટેટોડા ગૌશાળા ખાતે સંચાલકો સાથેની બેઠકમાં ડીસા ધારાસભ્ય અને બનાસ ડેરીના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 150થી પણ વધુ ગૌશાળા સંચાલકો હાજર રહ્યા હતા. આ દરમ્યાન સંચાલકો સાથે 3 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠાજી ટેટોડા ગૌશાળા ખાતે આજે 150થી વધુ ગૌશાળા સંચાલકોની મીટીંગ મળી હતી. જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડિસેમ્બર સુધી સહાય આપવા, પાંજરાપોળને 100 કરોડ આપ્યા તે રીતે ગૌશાળાને પણ આપવા અને પશુ દીઠ સહાય રૂ.25થી વધુ આપવામાં આવે તે ત્રણ મુદ્દાને લઇ ચર્ચા કરવામાં આવી હતી.