મહેસાણાઃ 100 % નળ જોડાણ કામગીરી ગાંધી જ્યંતિ નિમિત્તે મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ કરાશે
અટલ સમાચાર, મહેસાણા
સમગ્ર ગુજરાતના તમામ ઘરોમાં આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં નલ સે જલ અંતર્ગત નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી આપવાની યોજના અંતર્ગત આગામી બીજી ઓક્ટોબરથી મહેસાણા જિલ્લાના તમામ ૧૦૦ ટકા ઘરોને નળ દ્વારા જોડાણ કામગીરીનો ઇ-લોન્ચીંગ કાર્યક્રમ યોજાનાર છે. મહેસાણા કમળબા હોલ ખાતે સવારે ૦૯-૦૦ કલાકે કાર્યક્રમ યોજાનાર છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સમગ્ર ગુજરાતના તમામ ઘરોમાં આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નલ સે જલ અભિયાન અંતર્ગત નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. જેના ભાગરૂપે આગામી બીજી ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે મહેસાણા જિલ્લાના તમામ ૧૦૦ ટકા ઘરોને નળ જોડાણ કામગીરી પુર્ણ થયેથી ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે તેમ યુનિટ મેનેજર જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.