મહેસાણાઃ નાગલપુરથી 16 વર્ષની સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી જવાઈ
અટલ સમાચાર, મહેસાણા શહેરના નાગલપુર વિસ્તારમાંથી 16 વર્ષની સગીરાને લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી લઈ જવામાં આવી હોવાનો વધુ એક કિસ્સો જિલ્લામાં બનવા પામ્યો છે. જેને લઈ સગીરાનો પરિવાર હતપ્રભ બની જવા પામ્યો છે. અને પોલીસને પોતાની વ્હાલી દિકરીને ઝડપથી શોધી લાવવા પોલીસને જણાવાયું છે. મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદના આધારે સગીરાના વાલીએ
Apr 29, 2019, 13:04 IST
અટલ સમાચાર, મહેસાણા
શહેરના નાગલપુર વિસ્તારમાંથી 16 વર્ષની સગીરાને લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી લઈ જવામાં આવી હોવાનો વધુ એક કિસ્સો જિલ્લામાં બનવા પામ્યો છે. જેને લઈ સગીરાનો પરિવાર હતપ્રભ બની જવા પામ્યો છે. અને પોલીસને પોતાની વ્હાલી દિકરીને ઝડપથી શોધી લાવવા પોલીસને જણાવાયું છે.
મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદના આધારે સગીરાના વાલીએ પોલીસમાં ફરિયાદ આપી છે. મહેસાણા શહેરના નાગલપુર વિસ્તારથી અજાણ્યા ઈસમ દ્વારા 16 વર્ષની સગીર યુવતિને લલચાવી-ફોસલાવી લગ્નના ઈરાદે ભગાડી જવાઈ હોવાની ફરિયાદ આધારે પોલીસે યુવતિને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.