મહેસાણાઃ બાપાસીતારામની 43મી પૂણ્યતિથીએ રક્તદાન કેમ્પ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા (ભીખાભાઇ પરમાર) મહેસાણામાં સંતશિરોમણી બાપાસીતારામની 43 મી પૂણ્યતિથી નિમિત્તે રક્તદાન કેમ્પ અને ભજન સંતવાણીનું આયોજન મહેસાણાના બાપાસીતારામ સેવા મિત્રમંડળ દ્રારા આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહેસાણાની સિંધીવાડી ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં મહિલાઓ સિનિયર સીટીજનો અને વિકલાંક સહિત રક્તદાતાઓ કેમ્પમાં હાજર રહી રક્તદાન કર્યું હતું. જેમાં 161 બોટલ રક્તદાન એકત્રીત થયું હતું.
 
મહેસાણાઃ બાપાસીતારામની 43મી પૂણ્યતિથીએ રક્તદાન કેમ્પ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા (ભીખાભાઇ પરમાર)

મહેસાણામાં સંતશિરોમણી બાપાસીતારામની 43 મી પૂણ્યતિથી નિમિત્તે રક્તદાન કેમ્પ અને ભજન સંતવાણીનું આયોજન મહેસાણાના બાપાસીતારામ સેવા મિત્રમંડળ દ્રારા આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહેસાણાની સિંધીવાડી ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં મહિલાઓ સિનિયર સીટીજનો અને વિકલાંક સહિત રક્તદાતાઓ કેમ્પમાં હાજર રહી રક્તદાન કર્યું હતું. જેમાં 161 બોટલ રક્તદાન એકત્રીત થયું હતું. રક્તદાન કરનારાઓને ગીફ્ટ આપવામાં આવી હતી.

બાપાસીતારામ સેવા મિત્રમંડળ મહેસાણા દ્રારા સંતશિરોમણિ બંજરેગદાસ બાપાસીતારામની 43 મી પૂણ્યતિથી નિમિત્તે મેઘા રક્તદાન કેમ્પ અને ભજન સંતવાણી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બાપાસીતારામની 43 મી પૂણ્યતિથી 14 મી જાન્યુઆરીના રોજ હોઇ અને આજ દિવસે ઉત્તરાયણ હોઇ 12 મી જાન્યુઆરી 2020ના રવિવારના રોજ મહેસાણાની સિંધીવાડી ખાતે રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સવારના 8.30 થી બપોરના 1.30 સુધી યોજાયેલ રક્તદાન કેમ્પમાં સાધું સંતો, મહિલાઓ દિવ્યાંગ, યુવક સહિત રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. જેમાં મહેસાણા તેમજ રાજકોટથી રક્તદાતાઓ આવીને રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં 161 બોટલ રક્તદાન એકત્રીત થયું હોવાની માહિતી બાપાસીતારામના સેવક પ્રહલાદભાઇ પારેખે આપી હતી.

આ રક્તદાન કેમ્પમાં પૂર્વસાંસદ નટુજી ઠાકોર, રેલ્વે મહેસાણા એસ.આર.મીના, રંજનબેન પ્રજાપતિ તથા મમતાબેન પંડિત સહીત મહેમાનો હાજર રહ્યા હતા. રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર રક્તદાન કેમ્પ દરમિયાન રક્તદાતાઓની મુલાકાત લીધી હતી.