મોરબીના ઉદ્યોગપતિ યુવાને શહીદોનાં પરિવારને રૂબરૂ મળી 58 લાખની સહાય કરી

અટલ સમાચાર, ડેસ્ક મોરબીના ઉદ્યોગપતિ યુવાને પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને મળી 1.10 લાખ કીમી કાપી 58 લાખ રૂપિયાની સહાય હાથો હાથ ચૂકવી હતી આગામી 22 ફેબ્રુઆરીથી કેરળ, કર્ણાટક, તમિલનાડુના બાકી રહેલા શહીદ જવાનોના પરિવારોને સહાય આપવાનું શરૂ કરશે. મોરબી તમામ જગ્યાએ આવેલ મુસીબતોમાં અગ્રેસર હોય છે જેમાં પુલવામાં માં થયેલા આતંકી હુમલામાં
 
મોરબીના ઉદ્યોગપતિ યુવાને શહીદોનાં પરિવારને રૂબરૂ મળી 58 લાખની સહાય કરી

અટલ સમાચાર, ડેસ્ક

મોરબીના ઉદ્યોગપતિ યુવાને પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને મળી 1.10 લાખ કીમી કાપી 58 લાખ રૂપિયાની સહાય હાથો હાથ ચૂકવી હતી આગામી 22 ફેબ્રુઆરીથી કેરળ, કર્ણાટક, તમિલનાડુના બાકી રહેલા શહીદ જવાનોના પરિવારોને સહાય આપવાનું શરૂ કરશે. મોરબી તમામ જગ્યાએ આવેલ મુસીબતોમાં અગ્રેસર હોય છે જેમાં પુલવામાં માં થયેલા આતંકી હુમલામાં અનેક આર્મીના જવાનો શહીદ થયા હતા.

મોરબીના ઉદ્યોગપતિ યુવાને શહીદોનાં પરિવારને રૂબરૂ મળી 58 લાખની સહાય કરી
file photo

હુમલામાં આપણા જવાનોની સાથે સાથે યુવા પત્નિઓ ,બાળકો અને વૃદ્ધ માતા પિતાઓના સપનાઓઅને આશાઓએ પણ શહીદી વ્હોરી હતી. આ હુમલા બાદ મોરબીમાંથી જાહેર જનતાથી માંડી ,સીરામીક એશો.,કલોક એશો.,કાપડ એશો.સહિતના ઉદ્યોગકારો આર્થિક સહાય માટે આગળ આવ્યા હતા અને એક મેસેજથી જ કરોડો રૂપિયાનું દાન શહીદોના પરિવારના બેંકોમાં જમા કરાયું હતું તેમજ લોકડાયરો ગોઠવી રૂબરૂ બોલાવી આપવામાં આવ્યા હતા.

મોરબીના ઉદ્યોગપતિ યુવાને શહીદોનાં પરિવારને રૂબરૂ મળી 58 લાખની સહાય કરી
file photo

જેમાં મોરબી ના યુવા ઉદ્યોગ પતિ અજય લોરિયાની સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા છે જેમાં યુવા ઉદ્યોગપતિ અજય લોરીયા દ્વારા જમ્મુ કશ્મીરના પુલવામામાં 2019 થયેલા આંતકી હુમલા બાદ પરિવારોને મળી તેની વેદનાઓ જાણી હતી. લોરિયાએ જુદા જુદા 38 રાજ્યોમાં ફરી એક લાખ દસ હાજાર કિલોમીટરની મુસાફરી કરી શહીદોના પરિવારોને હાથો હાથ રૂપિયા 58 લાખની જંગી સહાયની આર્થિક મદદ કરી હતી.

મોરબીના ઉદ્યોગપતિ યુવાને શહીદોનાં પરિવારને રૂબરૂ મળી 58 લાખની સહાય કરી
file photo

લોરિયાએ ખરા અર્થમાં દેશભક્તિના દર્શન કરાવ્યા હતા એટલું જ નહીં પોતાની ફેક્ટરીમાં પાકિસ્તાન મુરદબાદ લખેલી સ્પેશ્યલ ટાઈલ્સ બનાવડાવી હતી. મોરબી સહિતના શહેરોમાં શૌચાલયોમાં ચોંટાડી અનોખો વિરોધ અને રોષ વ્યકત કર્યો હતો. ત્યારે પુલવામાંમાં થયેલા હુમલાનું આજે 1 વર્ષ પૂર્ણ થતા આજ રોજ થયેલા શહીદ જવાનોને ભારત માતા એમની આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરાઈ હતી.

મોરબીના ઉદ્યોગપતિ યુવાને શહીદોનાં પરિવારને રૂબરૂ મળી 58 લાખની સહાય કરી
file photo

તમામ જવાનો માટે ગૌશાળામાં દાન આપી અને આગામી તારીખ 22 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ ભારતમાં બાકી રહેલા શિહીદો પરિવાર જનોને પણ રૂબરૂ મળી તેઓની વેદના જાણવા માંટે યુવાન અજય લોરીયાએ સંકલ્પ કરી લીધો છે. આ જ સંકલ્પના લીધે યુવા ઉદ્યોગપતિ અજય લોરીયા તા.22 ફેબ્રુઆરીથી દક્ષિણ ભારતના કેરળ ,કર્ણાટક ,તમિલનાડુ માં પુલવામામાં થયેલા શહીદ જવાનને આર્થિક સહાય આપવા કૂચ ની તૈયારી કરી લીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લોરિયાએ આજ દિન સુધીમાં 1.10 લાખ કિલોમીટર ખેડી ને 58 લાખ ની સહાય કરેલ છૅ તે ઉપરાંત દક્ષિણ ભારતમાં અજય લોરીયા બાકી રહેતા પરિવાર જનોને રૂપિયા 17 લાખથી વધુ રૂપિયા ની આર્થિક સહાય કરવા જઈ રહ્યો છે. જો કે હજુ તે આ સહાયની રકમ નો આંકડો વધે તેવા પ્રયત્નો કરી રહ્યો છે ત્યારે મોરબી ના યુવા ઉદ્યોગપતિ અજય લોરીયાએ ખરા અર્થમાં દેશભક્તિની મિસાલ કાયમ કરી છે તેમ કહેવામાં કોઈ શંકાને સ્થાન નથી. જોકે, આ યુવાને કેવડિયા ખાતે પીએસઆઈ એ કરેલ આત્મહત્યા માં પણ તેની પુત્રીના ભવિષ્ય માટે રોકડ રકમ દાન કરી હતી ત્યારે મોરબીના યુવા ઉદ્યોગપતિ અજય લોરીયા મોરબીના યુવા ભામાશાની પ્રતીતિ કરાવે છે.

મોરબીના ઉદ્યોગપતિ યુવાને શહીદોનાં પરિવારને રૂબરૂ મળી 58 લાખની સહાય કરી

ઉલ્લેખનીય છે કે ગત 14મી ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં ઘાતકી હુમલો થયો હતો. આ હુમલામાં IED બ્લાસ્ટના કારણે સીઆરપીએફની બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. હુમલામાં CRPF જવાનોનો મોટો કાફલો શહીદ થયો હતો જેના પરિવાર માટે દેશભરમાંથી સહાયતાનો ધોધ વરસ્યો હતો. આ સહાયતાને ખરાઅર્થમાં શરૂ રાખવા મોરબી આગળ આવ્યું હતું. રિયાએ નાની ઉંમરે દેશભક્તિનું મોટું કામ કરી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં કાઠું કાઢ્યું છે. પોતાના ધંધા સાથે સેવાકિય પ્રવૃતિ કરી અને તેમણે સમાજને સારો સંદેશો આવ્યો છે.