ખૂન@રાજકોટઃ 4 ઇસમોએ યુવકને છરીના ઘા ઝીંકી ક્રુર હત્યા કરી
અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે શહેરના કોઠારિયા વિસ્તારમાં આવેલા રણુજા મંદિર નજીક હરી દર્શન નામની દુકાન પાસેરાહુલ ગોસ્વામી નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી. દિવસે ને દિવસે ગુજરાતમાં ક્રાઇમમાં વધારો થયો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મૃતક યુવાન રાહુલ તેના મિત્રો સાથે ઉભો હતો ત્યારે ચાર જેટલા શખ્સો સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી. જેનો ખાર રાખીને ચાર શખ્સોએ છરી વડે હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાહુલને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ જયેશ માઢ ,દિવુ જાડેજા અને દિવ્યેશ લાવડીયા તથા અન્ય એક શખ્સ હોવાની આશંકા છે. જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે હત્યા કરનાર શખ્સો રાહુલના મિત્રો જ છે જેથી કયા કારણોસર સામાન્ય બોલાચાલી ઉગ્ર બની તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.