હત્યા@રાજકોટઃ આરટીઓ પાસે ઘમાસણ, યુવક ઉપર જાનલેવા હુમલો, આખરે મોત
અટલ સમાચાર, ડેસ્ક રાજકોટની આરટીઓ કચેરી પાસે બે યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો. જેમાં સ્થાનિક ધંધાર્થી યુવક ઉપર જાન લેવા હુમલો કરતાં આખરે મોત થતાં ચકચાર મચી ગઇ છે. ધોળા દિવસે રાજકોટમાં હત્યાની ઘટનાને પગલે માહોલ ગરમાયો છે. સુત્રોએ જણાવ્યું હતું કે, સવારે એક ગ્રાહક સાથે બોલાચાલી બાદ બપોરે માહોલ ઝઘડામાં પરિણમ્યો
Nov 15, 2019, 17:37 IST
અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટની આરટીઓ કચેરી પાસે બે યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો. જેમાં સ્થાનિક ધંધાર્થી યુવક ઉપર જાન લેવા હુમલો કરતાં આખરે મોત થતાં ચકચાર મચી ગઇ છે. ધોળા દિવસે રાજકોટમાં હત્યાની ઘટનાને પગલે માહોલ ગરમાયો છે. સુત્રોએ જણાવ્યું હતું કે, સવારે એક ગ્રાહક સાથે બોલાચાલી બાદ બપોરે માહોલ ઝઘડામાં પરિણમ્યો હતો. જેમાં ગ્રાહક અને મળતીયાઓએ સાહિલ હનીફભાઇ પાયક (ઉ.વ.૨૫) (રહે. લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી) સાથે બબાલ કરતાં હુમલો ઘાતક સાબિત થયો હતો. લોહીલુહાણ યુવકને સરકારી હોસ્પિટલમાં ખસેડાયો પણ તબીબોએ મૃત જાહેર કર્યો હતો. હુમલાખોરોને શોધવા પ્રાથમિક માહિતી મુજબ પોલીસે તપાસ હાથ ધરી છે. હત્યાના પગલે સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા.