હત્યા@સુરેન્દ્રનગર: અંનૈતિક સંબંધોમાં ભાભીએ દિયરને છરીના ઘા ઝીંકી પતાવી દીધો

અટલ સમાચાર, સુરેન્દ્રનગર કોરોના મહામારી વચ્ચે અનૈતિક સંબંધોમાં ભાભીએ દિયરને છરીના ઘા ઝીંકી પતાવી દીધો હોવાનું સામે આવ્યુ છે. ઘટના બાદ મૃતકના પુત્રએ સમગ્ર મામલે એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરતાં તપાસ શરૂ થતાં ચોંકાવનારી વિગતો સામે આવતાં ચકચાર મચી ગઇ છે. પુછપરછમાં મૃતકના ભાભીએ અનૈતિક સંબંધો પુર્ણ કરવાની વાતને લઇ દિયરની હત્યા કરી હોવાનું
 
હત્યા@સુરેન્દ્રનગર: અંનૈતિક સંબંધોમાં ભાભીએ દિયરને છરીના ઘા ઝીંકી પતાવી દીધો

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

કોરોના મહામારી વચ્ચે અનૈતિક સંબંધોમાં ભાભીએ દિયરને છરીના ઘા ઝીંકી પતાવી દીધો હોવાનું સામે આવ્યુ છે. ઘટના બાદ મૃતકના પુત્રએ સમગ્ર મામલે એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરતાં તપાસ શરૂ થતાં ચોંકાવનારી વિગતો સામે આવતાં ચકચાર મચી ગઇ છે. પુછપરછમાં મૃતકના ભાભીએ અનૈતિક સંબંધો પુર્ણ કરવાની વાતને લઇ દિયરની હત્યા કરી હોવાનું કબુલ્યુ હતુ. સમગ્ર મામલે પોલીસે આરોપી મહિલાની અટક કરી કોવિડ ટેસ્ટ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર શહેરના ગંગાનગર વિસ્તારમાં સાગરભાઇ સાંતલપરા ઉ.વર્ષ 41 રહે છે અને ખેત મજુરી કરી ગુજરાન ચલાવે છે. આ દરમ્યાન તેમના પત્નીનું અવસાન થયા બાદ તેઓ ભાભી-ભત્રીજા અને પુત્ર સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. સાગરભાઇ અને કુંટુબના સભ્યો ખમીસણા ગામે માતાજીનો માંડવો હોઇ પ્રંસાદ લેવા બધા જ સભ્યો ખમીસણા ગયા હતા. ત્યારે મોડી રાતના સાગરભાઇ, ભાભી કસ્તુરીબેન અને ભત્રીજો ધનશ્યામભાઇ પરત શહેરના ગંગાનગરમાં આવી ગયા હતા અને સાગરભાઇનો પુત્ર મહેશ ખમીસણા ગામે રોકાઇ ગયો હતો અને સાગરભાઇ રાતના ઘરના ફળીયામાં ખાટલો ઢાળી સુતા હતા.

આ દરમ્યાન રાતના સંમયે કોઇ અજાણ્યા શખ્સોએ આધેડ પર ત્રિક્ષણ હથીયારોના ઘા મારી સાગરભાઇનું ઢીમ ઢાળી દઇ ફરાર થયા હતા. સવારે જયારે મરણ જનાર સાગરભાઇનો પુત્ર મહેશ ગંગાનગર આવ્યો ત્યારે સુતેલા પિતાને જગાડવા ગયો ત્યારે સાગરભાઇની લાશ ખાટલામાં લોહીલુહાણ હાલતમાં પડી હતી. જેથી આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. જે બાબતે પુત્ર મહેશે શહેરના એ ડીવીઝન પોલીસને જાણ કરતા સીટી પી.આઇ. એલ.સી.બી., એસ.ઓ.જી. સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચી તપાસ હાથ ધરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

પોલીસની તપાસમાં મૃતક સાગરભાઇની સગી વિધવા ભાભીએ જ તેના દિયરનું ઢીમ ઢાળી દીધાની કબુલાત કરી હતી. પોલીસે હત્યાના આરોપી કસ્તુરીબેન કે જેવો વિધવા હોઇ અને તેમના દિયર મરણ જનાર સાગરભાઇની પત્ની પણ ઘણા વર્ષો પહેલા મૃત્યુ પામી હતી. આથી બન્ને વચ્ચે પ્રેમ સંબધ હોઇ અંનૈતિક સંબધો હતા. પરંતુ કસ્તુરીબેનના બાળકો મોટા થયા હોઇ કસ્તુરીબેનએ સંબધો રાખવાની સાગરભાઇને ના પાડવા છતા તેઓ પરાણે સંબંધો રાખતા હતા. જેથી રાતના સંમયે સાગરભાઇ બાહાર ખાટલામાં સુતા હતા ત્યારે આરોપી ભાભી કસ્તુરીબેનએ છરીના ઘા મારી હત્યા કરી હોવાની કબુલાત આપતા પોલીસે અટક કરી હતી અને કોરોના રીપોર્ટ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.