હત્યા@વિસનગર: પડી જવાથી પત્નિનુ મોત લખાવ્યુ, તપાસ બાદ પતિ હત્યારો
અટલ સમાચાર, મહેસાણા
વિસનગર તાલુકાના ગામે પત્નિના મોતની ઘટના બાદ ફરીયાદ દાખલ થઇ હતી. જેમાં પતિએ પોતાની પત્નીનું પડી જવાથી મોત થયાનુ લખાવ્યુ હતુ. જોકે ગણતરીની મિનીટોમાં તપાસ બાદ પત્નિની હત્યા થઇ હોવાનુ પ્રાથમિક તબક્કે સામે આવતા ચકચાર મચી ગઇ છે. વિસનગર પોલીસે આરોપી પતિ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પતિએ પોલીસને ગેરમાર્ગે દોરવાની કોશિષ કરી છતાં ખુલ્લો પડી ગયો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના ગુંજા ગામમાં પરિણિતા બાથરૂમમાં પડી જતા મોત થયુ હોવાની ઘટના સામે આવી હતી. જેથી વિસનગર તાલુકા પોલીસ મથકે પરિણિતાના પતિ ભાવેશ ગાંડાભાઇ રાવળે અકસ્માતે મોતની નોંધ કરાવી હતી. જોકે પોલીસ તપાસમાં પોસ્ટમોર્ટમને અંતે પરિણિતાની હત્યા થઇ હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે પોસ્ટમોર્ટમ રીપોર્ટને આધારે પતિ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, પતિએ કોઇ કારણથી પત્નિની હત્યા નિપજાવી હોવાનુ પ્રાથમિક તબક્કે સામે આવ્યુ છે. સૌથી મોટી વાત એ છે કે, પતિએ પોલીસને ગેરમાર્ગે દોરી હત્યાને દુર્ઘટનામાં ખપાવવાનો કારસો રચ્યો હતો. આથી વિસનગર તાલુકા પોલીસે તાત્કાલિક અસરથી પતિને હત્યારો સમજી મૃતક જશીબેનની હત્યાનો ભેદ ઉકેલવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.