સુશાંતના મોતનું રહસ્ય ઘેરાયું, રિયાનાં પિતાનાં ફ્લેટ પર રજિસ્ટર્ડ હતી કંપનીઓ

અટલ સમાચાર.ડેસ્ક બોલિવૂડ એક્ટર સુશાંત સિંઘ રાજપૂત બે કંપનીઓ Vividrage RhealityX P.L. અને Front India for World Foundationનાં ડિરેક્ટર હતાં. Vividrage RhealityX Pvt Ltd અંગે રિયા એટલી ઉત્સુક હતી કે તેણે તે કંપનીમાં તેનું નામ જોડાવી દીધુ હતું. આ કંપનીનાં નામમાં પણ રિયાલિટી શબ્દમાં રિયાએ તેનો સ્પેલિંગ ઉમેરાવ્યો હતો. સુશાંતનાં મોતનાં દોઢ મહિના બાદ સુશાંતનાં
 
સુશાંતના મોતનું રહસ્ય ઘેરાયું, રિયાનાં પિતાનાં ફ્લેટ પર રજિસ્ટર્ડ હતી કંપનીઓ

અટલ સમાચાર.ડેસ્ક

બોલિવૂડ એક્ટર સુશાંત સિંઘ રાજપૂત બે કંપનીઓ Vividrage RhealityX P.L. અને Front India for World Foundationનાં ડિરેક્ટર હતાં. Vividrage RhealityX Pvt Ltd અંગે રિયા એટલી ઉત્સુક હતી કે તેણે તે કંપનીમાં તેનું નામ જોડાવી દીધુ હતું. આ કંપનીનાં નામમાં પણ રિયાલિટી શબ્દમાં રિયાએ તેનો સ્પેલિંગ ઉમેરાવ્યો હતો. સુશાંતનાં મોતનાં દોઢ મહિના બાદ સુશાંતનાં પિતા કે કે સિંઘે સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેનાં પરિવાર વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યાં છે. આ મામલે પટનામાં કેસ દાખલ છે. રિયાનો પરિવાર શંકાનાં ઘેરામાં આવતા જઇ રહ્યો છે.

જાન્યુઆરી 2020માં જ્યારે સુશાંતનો ઇલાજ ચાલી રહ્યો હતો ત્યારે રિયાનાં ભાઇ શોવિકે સુશાંત સાથે મળીને વધુ એક કંપની Front India for World Foundationની શરૂઆત કરી હતી. બંને કંપની ઉલ્વા સ્થિત બિલ્ડિંગ સાઇ ફોર્ચ્યૂનનો ફ્લેટ નંબર 503 પર રજિસ્ટર્ડ છે. આ ફ્લેટ રિયાનાં પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીનાં નામ પર છે. ખબર પ્રમાણે ન તો રિયા કે ન તો તેનાં પરિવારનો કોઇ સભ્ય કે પછી સુશાંત સિંઘ રાજપૂત કોઇ જ આ ફ્લેટ પર આવ્યું નથી. એવામાં સવાલ એ થાય છે કે પછી કંપનીઓ આ ફ્લેટ પર કેમ રજિસ્ટર્ડ કરાવી? આ ઉપરાંત સવાલ એ પણ થાય છે કે, આ ફ્લેટ રિયાનાં પિતાનાં નામ પર કેમ છે? આપને જણાવી દઇએ કે, સુશાંતનાં પિતાએ દીકરાનાં એકાઉન્ટમાંથી આશરે 15 કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો. એવામાં સવાલ એ છે કે, શું આ રકમ તે જ કંપનીઓ દ્વારા રિયા અને શોવિક સુધી પહોંચી?

ફેબ્રુઆરીમાં જ રિયા વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ

સુશાંત સિંઘ રાજપૂતનાં કેસમાં એક બાદ એક એવી વાતો ખુલી રહી છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં, સુશાંતનાં પિતાનાં વકિલે આ મામલે કેટલાંક ચોકાવનારા ખુલાસા કર્યા છે. વિકાસ સિંહે જણાવ્યું કે, સુશાંતનાં પરિવારે સુશાંતનાં નિધનનાં ચાર મહિના પહેલાં ફેબ્રુઆરીમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં પરિવારે આરોપ લગાવ્યો હતો કે, સુશાંત એક ખરાબ સંગતમાં છે અને તેને ડર છે કે તેની સાથે કંઇ ખરાબ થઇ શકે છે. પરિવારે મુંબઇ પોલીસને એક્ટર પર નજર રાખવાનો પણ આગ્રહ કર્યો હતો

રિયા ચક્રવર્તીને મળી રહી છે મુંબઇ પોલીસથી મદદ
બોલિવૂડ એક્ટર સુશાંત સિંઘ રાજપૂતનાં મોત મામલે છેલ્લા દોડ મહિનાથી તપાસ કરી રહેલી મુંબઇ પોલીસ હજુ સુધી કોઇ જ ઠોસ કાર્યવાહી પર પહોંચી નથી. મુંબઇ પોલીસની તપાસથી નાખુશ સુશાંત સિંઘનાં પરિવારે ચુપ્પી તોડી છે. અને એક્ટરનાં પિતા કે કે સિંઘે પટનાનાં રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તી અને તેનાં પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા હતાં.