નર્મદા: પ્રેમલગ્ન કર્યા બાદ 4 મહિનામાં છૂટાછેડા, છઠ્ઠા દિવસે ફરી ભાગ્યા

અટલ સમાચાર, ડેસ્ક નર્મદા જિલ્લાના ગંભીરપુરા ગામના અનિલ સુમન તડવીને તેના ગામની જ મીનાક્ષી તડવી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીના પરિવારજનોને આ સંબંધ મંજુર ન હોય બંને પ્રેમી પંખીડાએ ઘરેથી ભાગી જવાનો નિર્ણય લઈને 16 એપ્રિલ 2019નાં રોજ કોર્ટમાં લગ્ન કર્યા હતા. કોઇ કારણોસર 16 ઓગસ્ટના રોજ અનિલ અને મીનાક્ષીએ છૂટાછેડા થયા હતા. પરંતુ
 
નર્મદા: પ્રેમલગ્ન કર્યા બાદ 4 મહિનામાં છૂટાછેડા, છઠ્ઠા દિવસે ફરી ભાગ્યા

અટલ સમાચાર, ડેસ્ક

નર્મદા જિલ્લાના ગંભીરપુરા ગામના અનિલ સુમન તડવીને તેના ગામની જ મીનાક્ષી તડવી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીના પરિવારજનોને આ સંબંધ મંજુર ન હોય બંને પ્રેમી પંખીડાએ ઘરેથી ભાગી જવાનો નિર્ણય લઈને 16 એપ્રિલ 2019નાં રોજ કોર્ટમાં લગ્ન કર્યા હતા.

નર્મદા: પ્રેમલગ્ન કર્યા બાદ 4 મહિનામાં છૂટાછેડા, છઠ્ઠા દિવસે ફરી ભાગ્યા

કોઇ કારણોસર 16 ઓગસ્ટના રોજ અનિલ અને મીનાક્ષીએ છૂટાછેડા થયા હતા. પરંતુ હૃદયના ખૂણે તો પ્રેમરૂપી દીવો તો પ્રકાશિત જ હતો. છૂટાછેડા બાદ પણ 5 દિવસ જ દૂર રહ્યા અને ફરી પાછા લગ્નન કરવાનો નિશ્ચય કરીને છઠ્ઠા દિવસે જ લગ્ન કરવાના ઇરાદે પાછા ઘરેથી ભાગી ગયા.

નર્મદા: પ્રેમલગ્ન કર્યા બાદ 4 મહિનામાં છૂટાછેડા, છઠ્ઠા દિવસે ફરી ભાગ્યા

આ વાતથી ગુસ્સે થયેલા યુવતીના પરિવારજનોએ પ્રેમી યુવકની માતા પર હુમલો કરતા આખી ઘટના બહાર આવી છે. યુવકની માતા વેચીબેને યુવતીના પરિવારનાં સુકાભાઇ હિમંતભાઇ તડવી, તારાબેન સુકાભાઇ તડવી, અક્ષયભાઇ સુકાભાઇ તડવી અને કાજલબેન સુકાભાઇ તડવીએ લાકડી અને પાવડા વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

નર્મદા: પ્રેમલગ્ન કર્યા બાદ 4 મહિનામાં છૂટાછેડા, છઠ્ઠા દિવસે ફરી ભાગ્યા
Advertise