દેશી ઉપચારઃ લસણથી દુર ન ભાગો, જાણો ખાવાથી વિશેષ ફાયદા
અટલ સમાચાર, ડેસ્ક લસણ ભોજનનો સ્વાદ વધારે છે. લસણ વગરનું ભોજન કદાચ સ્વાદમાં ફીક્કું પણ લાગે. મોટાભાગના લોકો ભોજનમાં સ્વાદ વધારવા લસણનો ઉપયોગ કરે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાલી પેટ લસણના સેવનથી થતા ફાયદા: લસણ શરીરમાં થતાં કીડાથી બચાવે છે. ઘણી બીમારીઓ જેવી કે ડાયાબિટિસ, ડિપ્રેશન અને કેન્સરના અવરોધમાં મદદ
Aug 2, 2019, 13:00 IST
અટલ સમાચાર, ડેસ્ક
લસણ ભોજનનો સ્વાદ વધારે છે. લસણ વગરનું ભોજન કદાચ સ્વાદમાં ફીક્કું પણ લાગે. મોટાભાગના લોકો ભોજનમાં સ્વાદ વધારવા લસણનો ઉપયોગ કરે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
ખાલી પેટ લસણના સેવનથી થતા ફાયદા:
લસણ શરીરમાં થતાં કીડાથી બચાવે છે. ઘણી બીમારીઓ જેવી કે ડાયાબિટિસ, ડિપ્રેશન અને કેન્સરના અવરોધમાં મદદ કરે છે. લસણથી હાઈ બ્લડ પ્રશેરની સમસ્યા પણ ઘણી ઓછી થાય છે. તેમજ બ્લડ સર્ક્યુલેશન પણ સારું થાય છે.
લસણ ખાવાથી તમારી પાચન ક્રિયા સારી થાય છે. તે પેટની સમસ્યાઓ જેવી કે ડાયેરિયા, કબજિયાત અને ગેસમાં પણ રાહત થાય છે. તે માટે ઉકલતા પાણીમાં લસણની 4 થી 5 કળી નાખીને ઠંડી કરી આખી રાત તેને પાણીમાં જ રહેવા દો. સવારે ઉઠીને ખાલી પેટ આ પાણી પી જાઓ. પેટની તકલીફો મટી જશે.
એન્ટિબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે,રોજ લસણ ખાવાથી શરદી નથી થતી. તેના એન્ટિબેક્ટેરિયલ ગુણો ગળાના દુખાવાથી રાહત અપાવે છે. આ ઉપરાંત તે અસ્થમા, નિમોનીયા, બ્રોન્કાઈટિસ જેવી ઘણી તકલીફોમાં પણ ફાયદાકારક છે.
હ્રદયની તંદુરસ્તી માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે રોગ પ્રતિકારકશક્તિ વધારે છે. હ્રદયના ઘાતની શક્યતા બહુ ઓછી થઈ જાય છે, કારણ કે તે લોહીની ગાંઠ બનાવવાનું ખૂબ જ ઓછું કરી નાખે છે.