વિધાનસભા બજેટ સત્રમાં લવ જેહાદ બીલ રજૂ કરી પ્રદિપસિંહ જાડેજાએ ચેતવણી આપતા શું કહ્યુ જાણો

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. જેમાં પ્રથમ બેઠકમાં લવ જેહાદ વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યુ અને તેની પર ચર્ચા કરવામાં આવી છે.આજે વિધાનસભા ગૃહમાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક કલાક કરતા વધુ સમય સુધી લવ જેહાદનું બિલ રજૂ કરી તેના વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે આજે જણાવ્યું હતું કે, હું આજે મારા
 
વિધાનસભા બજેટ સત્રમાં લવ જેહાદ બીલ રજૂ કરી પ્રદિપસિંહ જાડેજાએ ચેતવણી આપતા શું કહ્યુ જાણો

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. જેમાં પ્રથમ બેઠકમાં લવ જેહાદ વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યુ અને તેની પર ચર્ચા કરવામાં આવી છે.આજે વિધાનસભા ગૃહમાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક કલાક કરતા વધુ સમય સુધી લવ જેહાદનું બિલ રજૂ કરી તેના વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે આજે જણાવ્યું હતું કે, હું આજે મારા જીવનનું સૌથી મોટું કામ કરવા જઈ રહ્યો છું. ખોટુ નામ બતાવીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી. હિન્દુ યુવતીઓનો ધર્માંતરણ બાદ જેહાદી અને આતંકી પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ થતો હોવાના અને અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કડક કાયદો અમલમાં મુકવાની ઘણા મહિનાઓથી માંગ હતી. પ્રદિપસિંહ જાડેજાએ ગૃહમાં લવજેહાદની એક વ્યાખ્યા આપીને વિગતવાર રીતે સમજણ પાડી છે. આ કાયદો વિશ્વના બીજા દેશો અને ભારતના કેટલાક રાજ્યોમા અસ્તિત્વ ધરાવતા હોવાનુ પણ તેમણે જણાવ્યું છે. નોંધનીય છે કે, આ પહેલા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશમાં અને મધ્ય પ્રદેશમાં આ કાયદો બન્યો છે.
ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગૃહમાં બિલ રજૂ કરતા સમયે નિવેદન આપતા જણાવ્યું કે, મારા જીવનનું મોટામાં મોટું કામ આજે કરવા જઈ રહ્યો છું. હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણે છે. દીકરીએ આપણું અંગ છે, દીકરીને પારકી થાપણ કહેવાય પણ દીકરીને જેહાદી હાથોમાં ન જવા દેવાય. દીકરીને કસાઈઓ ના હાથમાં જતી કાયદા દ્વારા બચાવવા ગૃહ માં કાયદો લાવ્યા છીએ.

વિધાનસભા બજેટ સત્રમાં લવ જેહાદ બીલ રજૂ કરી પ્રદિપસિંહ જાડેજાએ ચેતવણી આપતા શું કહ્યુ જાણો

પ્રદિપસિંહે વધુમાં જણાવ્યું કે, આવા તત્વોની સાન ઠેકાણે લાવવા માટે આ કાયદો છે. સમાજ દ્વારા જુદી જુદી રજૂઆતોને આધારે આજે આ બિલ લાવવામાં આવશે. હિન્દુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતર કરાવીને, તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને અનેક દીકરીઓના જીવન નર્ક બનાવી નાંખવાની માનસિકતાવાળા આ જેહાદી તત્વોની સામે સખતાઈથી અને કડકાઈથી કામ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.  જે અંતર્ગત ખોટું નામ કહીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી.

પ્રદિપસિંહે ગૃહમાં જણાવ્યું કે, નડિયાદમાં મેડિકલમાં અભ્યાસ કરતી 20 વર્ષની દીકરીને 44 વર્ષના વિધર્મી દ્વારા ફોસલાવવામાં આવી જાળમાં ફસાવવામાં આવી હતી. પાલનપુરમાં પણ 17 વર્ષની દીકરી સાથે પણ આવી ઘટના બની હતી, ખેડા અને બનાસકાંઠામાં પણ આવા કિસ્સો સામે આવ્યો. અમદાવાદના વસ્ત્રાપુરમાં પણ આવો કેસ સામે આવ્યો. ક્યારેય લગ્ન કરાવનાર ધાર્મિક ગુરુઓ મૌલવીઓ પણ છોકરી નિકાહ કબૂલ બોલે કે ના બોલે લગ્ન કરવી દે છે. આવા જેહાદી તત્વો સાથે ધાર્મિક ગુરુઓ આકાઓ ખોટી રીતે દીકરીઓ સાથે છેતરપિંડી કરે છે.  આ અમારો કોઈ રાજકીય એજન્ડા નથી આ અમારી વ્યથા છે. દીકરીઓને બચાવવાનો પ્રયાસ છે. યુપી,એમપી, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશમાં પણ આ અંગે કાયદો છે. આ બધા રાજ્યમાં આ ગુનો બિન જમીન પાત્ર છે.

તેમણે જણાવ્યું કે, ભારતને આંતરિક રીતે ખોખલો કરવા આંતકવાદીઓએ લવ ઝેહાદનો રસ્તો અપનાવ્યો છે. લવ જેહાદથી માત્ર ભારત ત્રસ્ત નથી પરંતુ અમેરિકા સહિત સમગ્ર વિશ્વ ત્રસ્ત છે. લવ જેહાદ શબ્દએ 2009માં કર્ણાટકમાં એક યુવતી પોતાના મુસ્લિમ બોય ફ્રેન્ડ સાથે ભાગી ગયા બાદ પ્રચલિત થયો છે. નવા કાયદામાં ફરિયાદ માત્ર પીડીત નહી પંરતુ પરીવારજનો પણ કરી શકશે. પિડિત સાથે લોહીના સંબંધ ધરાવનારા વ્યક્તિઓ પણ ફરીયાદ કરી શકશે. લવ જેહાદ માટે ફંડીગ થતુ હોય છે. આરબ દેશોમાંથી હવાલાનાં મારફતે આ ફંડ ભારત પહોંચે છે. આવું કરવા વાળા એ લોકો છે જે આપણને ભગવાન રામચંદ્રના દર્શન કરવાથી વંચિત રાખ્યા ક્રોસ બોર્ડર ટેરરીઝમ કરવા વાળા લોકો છે. ધાર્મિક કટ્ટરતા વાળા લોકો છે. ટુકડે ટુકડે ગેંગ વાળા લોકો છે. મદદગારી કરવા વાળા મુલ્લા મૌલવીઓ સામે કાર્યવાહી થશે. આ સાથે સોશિયલ મીડિયાથી બનતા કિસ્સામાં પણ કાર્યવાહી થશે