પાલનપુરઃ જી.ડી.મોદી કોલેજ ખાતે સંત શિરોમણિ રોહિદાસ દ્વિઅંકી નાટક યોજાશે

અટલ સમાચાર , પાલનપુર તા. 19 ફેબ્રુઆરીના રોજ પાલનપુર જી. ડી. મોદી કોલેજ ઓપન એર થિયેટર ખાતે સાંજે 8.00 કલાકે વાગે સંત શિરોમણી રોહિદાસ દ્વિઅંકી નાટક યોજાશે. ગુજરાત સરકારના યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી અને સર્વોદય ફાઉન્ડેશન બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે આ નાટક યોજાશે. આ નાટકના લેખક, દિગ્દર્શક
 
પાલનપુરઃ જી.ડી.મોદી કોલેજ ખાતે સંત શિરોમણિ રોહિદાસ દ્વિઅંકી નાટક યોજાશે

અટલ સમાચાર , પાલનપુર

તા. 19 ફેબ્રુઆરીના રોજ પાલનપુર જી. ડી. મોદી કોલેજ ઓપન એર થિયેટર ખાતે સાંજે 8.00 કલાકે વાગે સંત શિરોમણી રોહિદાસ દ્વિઅંકી નાટક યોજાશે. ગુજરાત સરકારના યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી અને સર્વોદય ફાઉન્ડેશન બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે આ નાટક યોજાશે. આ નાટકના લેખક, દિગ્દર્શક રતિલાલ ચૌહાણ છે.

બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં સંત શિરોમણી રોહિદાસને શ્રધ્ધાસુમન અર્પણ કરી એકતા, સમરસતા અને સમભાવના શુભ વિચારોનો સામૂહિક સંકલ્પ લેવામાં આવશે. તથા પગરખા સાંધવાના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા રોહિત સમાજના ભાઇઓનું સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી. એ. શાહ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર હિતેષભાઇ ચૌધરી, પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળ, બનાસકાંઠા જિ.પંચાયત સદસ્ય અશ્વિન સક્સેના ઉપસ્થિત રહેશે.

સંત શિરોમણી રોહિદાસના વિચારો તથા તેમના જીવન કવનને આત્મસાત કરવા આ નાટક જોવા પધારવા સર્વોદય
ફાઉન્ડેશન અને બનાસકાંઠા જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.