અટલ સમાચાર,પાલનપુર
બનાસકાંઠાના પાલનપુર ખાતે છેલ્લા સાતેક વર્ષથી પાલનપુરના ગુરૂનાનક ચોક પાસે મફતમાં મિનરલ પાણી માટે પરબનું આયોજન કરતા સદભાવના ગ્રુપના ચેરમેન હરેશભાઇ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે લોકહિતાર્થે પાણીની પરબની શરૂઆત કરાઇ હતી. આ પસંગે સદભાવના ગ્રુપના તમામ સભ્યો અને સ્થાનિકો હાજર રહયા હતા.
સદભાવના ગ્રુપના ચેરમેન હરેશભાઇ ચૌધરીએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, મારો જન્મદિવસની ઉજવણી એક દિવસ નહી પણ ૪ મહિના જયાં સુધી વરસાદ નહી આવે ત્યાં સુધી કરાશે. તેમને યુવાનોને અપીલ પણ કરી હતી કે, દરેકે પોતાના જન્મદિવસ નિમિત્તે નાનુ-મોટું સેવાનું કામ કરી ભારતીય સંસ્કૃતિની ઉજવણી કરવી જોઇએ.