પાલનપુરઃ રાજપૂત સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયા
અટલ સમાચાર, પાલનપુર પાલનપુર ખાતે રાજપૂત સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાવન વાંટા રાજપૂત સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ આયોજીત પ્રથમ સમૂહ લગ્નોત્સવ પાલનપુર તાલુકાના મોટા ગામ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જીઆઈડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂતે સમાજને પ્રગતિ તરફ લઈ જવાની અને આવા સમૂહલગ્ન જેવા પ્રસંગો યોજી એકમેકને મદદરૂપ બનવાની આદર્શ વાત કરી હતી.
May 7, 2019, 14:58 IST
અટલ સમાચાર, પાલનપુર
પાલનપુર ખાતે રાજપૂત સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાવન વાંટા રાજપૂત સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ આયોજીત પ્રથમ સમૂહ લગ્નોત્સવ પાલનપુર તાલુકાના મોટા ગામ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે જીઆઈડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂતે સમાજને પ્રગતિ તરફ લઈ જવાની અને આવા સમૂહલગ્ન જેવા પ્રસંગો યોજી એકમેકને મદદરૂપ બનવાની આદર્શ વાત કરી હતી.
જેમાં પં.પૂ. સંતશ્રી આનંદમૂતિજી મહારાજ, પ.પૂ. સંતશ્રી પરથીરામ મહારાજ, સમારોહના અધ્યક્ષ શંકરસિંહજી વાઘેલા, સમારોહના ઉદ્ધાટક બલવંતસિંહજી રાજપૂત, ભુપેન્દ્રસિંહજી ચુડાસમા (શિક્ષણમંત્રી, ગુજરાત રાજ્ય), કાનભા ગોહીલ, ડી.ડી. રાજપૂત, કિશોરસિંહ સોલંકી, કરણસિંહ ચાવડા તેમજ મોટી સંખ્યામાં રાજપૂત અગ્રણીઓ સાથે વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી.