પાટણઃ ફટાકડાના સંગ્રહ અને વેચાણની પરવાનગી મેળવવા કલેક્ટરને અરજી કરવી

અટલ સમાચાર, પાટણ આગામી દિવાળીના તહેવાર પ્રસંગે સમી પ્રાંત હેઠળના હારીજ, સમી અને શંખેશ્વર તાલુકામાં ફટાકડાના સંગ્રહ તથા વેચાણ માટે હંગામી પરવાનો મેળવવા રસ ધરાવતા ઈસમો પાસેથી અરજીઓ મંગાવવાની શરૂઆત કરવામાં આવી છે. આ પરવાનો મેળવવા માટે અરજદારઓએ ધ એક્સપ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ના નિયમ-૧૧૩માં દર્શાવેલા આધારો સહ ફોર્મ એ.ઈ.૫ (FORM A.E.5) માં અરજી કરવાની રહેશે. અટલ સમાચાર
 
પાટણઃ ફટાકડાના સંગ્રહ અને વેચાણની પરવાનગી મેળવવા કલેક્ટરને અરજી કરવી

અટલ સમાચાર, પાટણ

આગામી દિવાળીના તહેવાર પ્રસંગે સમી પ્રાંત હેઠળના હારીજ, સમી અને શંખેશ્વર તાલુકામાં ફટાકડાના સંગ્રહ તથા વેચાણ માટે હંગામી પરવાનો મેળવવા રસ ધરાવતા ઈસમો પાસેથી અરજીઓ મંગાવવાની શરૂઆત કરવામાં આવી છે. આ પરવાનો મેળવવા માટે અરજદારઓએ ધ એક્સપ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ના નિયમ-૧૧૩માં દર્શાવેલા આધારો સહ ફોર્મ એ.ઈ.૫ (FORM A.E.5) માં અરજી કરવાની રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરજી ઉપર રૂ.૦૩/-નો કોર્ટ ફી સ્પેમ્પ લગાવી અરજી સાથે ધ એક્સપ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ના નિયમ-૧૦૦ મુજબ શિડ્યુલ VI પોર્ટ-૨(એ) (૮)(બી) મુજબની સ્ક્રુટીની ફી રૂ.૨૦૦/- તેમજ પોર્ટ-૨ (બી) (VI) (૧)(એ) મુજબની લાયસન્સ ફી રૂ.૬૦૦/- ‘‘૦૦૭૦ અધર એડીએમ’’ સદરે બેંક/તિજોરીમાં ચલણથી જમા કરાવી તેનું અસલ ચલણ રજૂ કરવાનું રહેશે. સાથે સાથે અરજદાર કોઈ ગુનામાં સંડોવાયેલ નથી, તેમજ અરજદારને કોઈ સજા કે દંડ થયેલ નથી તે મતલબનું સબંધિત કાર્યક્ષેત્ર હેઠળના ક્ષેત્રીય પોલીસ અધિકારીનું પ્રમાણપત્ર સામેલ રાખી તા.૧૭/૧૦/૨૦૨૦ સુધીમાં મદદનીશ કલેક્ટર વ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, સમીની કચેરીએ મોકલી આપવાના રહેશે.

પાટણઃ ફટાકડાના સંગ્રહ અને વેચાણની પરવાનગી મેળવવા કલેક્ટરને અરજી કરવી
જાહેરાત

વધુમાં અરજી સાથે રહેણાંક, જન્મ તારીખના પુરાવા સામેલ રાખવાના રહેશે. અરજી ફોર્મ હારીજ, સમી તથા શંખેશ્વર તાલુકાની મામલતદાર કચેરીના એટીવીટી શાખામાંથી કચેરી સમય દરમ્યાન ચાલુ દિવસોમાં મળી શકશે. કોઈપણ સંજોગોમાં અધુરી વિગતવાળી અરજી સ્વિકારવામાં આવશે નહીં. સદર પરવાના ગ્રામ્ય/નગર પંચાયત/નગરપાલિકા નક્કી કરે તેવી સુરક્ષિત જગ્યાએ પ્લોટ મેળવનારને આપવામાં આવશે. આથી અરજદારઓએ હંગામી ફટાકડા પરવાનો મેળવવાની અરજીમાં ગ્રામ્ય/નગર પંચાયત/નગરપાલિકા તરફથી ફાળવવામાં આવેલા પ્લોટ નંબર તથા સ્થળની સ્પષ્ટ વિગત અવશ્ય દર્શાવવાની રહેશે. પરવાનો મેળવવાની માંગણી કરતાં અરજદારઓએ પરવાનો મેળવ્યા પછી પરવાનાની શરતોનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે.