પલટો@રાધનપુર: મિશ્ર ઋતુમાં વાતાવરણમાં ફેરફાર, ખેડૂતો ચિંતાગ્રસ્ત
અટલ સમાચાર, રાધનપુર રાધનપુર પંથકમાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણને લઇ જગતનો તાત ચિંતિત બન્યો છે. બદલાયેલા વાતાવરણથી રવિ સિઝનમાં જીરૂ અને એરંડા સહિતના પાકને નુકશાની થવાની ભિતી ઉભી થઇ છે. વહેલી સવારથી રાધનપુર શહેર અને પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. આ સાથે ખેડૂતોને વાવેતરમાં જીવાત આવવાની શક્યતા પણ સેવાઇ રહી છે. અટલ
Feb 15, 2020, 15:53 IST
અટલ સમાચાર, રાધનપુર
રાધનપુર પંથકમાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણને લઇ જગતનો તાત ચિંતિત બન્યો છે. બદલાયેલા વાતાવરણથી રવિ સિઝનમાં જીરૂ અને એરંડા સહિતના પાકને નુકશાની થવાની ભિતી ઉભી થઇ છે. વહેલી સવારથી રાધનપુર શહેર અને પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. આ સાથે ખેડૂતોને વાવેતરમાં જીવાત આવવાની શક્યતા પણ સેવાઇ રહી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના રાધનપુર પંથકમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. શહેર તથા પંથકમાં બદલાયેલા વાતાવરણથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જેને સ્થાનિક ખેડૂતોને રવિ સિઝનના પાકમાં જીવાતનો ડર સતાવી રહ્યો છે. અચાનક વાદળછાયા વાતાવરણથી જીરૂ અને એરંડાના પાકમાં નુકશાનની ભિતિ સેવાઇ રહી છે.