સમસ્યા@રહીશોઃ બોરીયાવીની ઈન્દીરાનગર સોસાયટી ગટરથી ત્રાહિમામ્
અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) મહેસાણા તાલુકાના બોરીયાવી ગામમાં ઈન્દિરા નગર સોસાયટી તરફ જવાના રસ્તા ઉપર ગટરોના પાણી ઘણા દિવસોથી ઉભરાઈ રહ્યા છે. ગંદકીને લઈ ગ્રામજનોમાં રોગચાળાની દહેશત પ્રસરે તે પહેલા સમસ્યાથી છૂટકારો મળે તેમ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે. બોરીયાવી ગામમાં ઇન્દિરા નગર સોસાયટી તરફ જવાના રસ્તા ઉપર છેલ્લા એક મહિનાથી ગટરનું ગંદુ પાણી માર્ગ
Nov 19, 2019, 15:56 IST
અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)
મહેસાણા તાલુકાના બોરીયાવી ગામમાં ઈન્દિરા નગર સોસાયટી તરફ જવાના રસ્તા ઉપર ગટરોના પાણી ઘણા દિવસોથી ઉભરાઈ રહ્યા છે. ગંદકીને લઈ ગ્રામજનોમાં રોગચાળાની દહેશત પ્રસરે તે પહેલા સમસ્યાથી છૂટકારો મળે તેમ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.
બોરીયાવી ગામમાં ઇન્દિરા નગર સોસાયટી તરફ જવાના રસ્તા ઉપર છેલ્લા એક મહિનાથી ગટરનું ગંદુ પાણી માર્ગ ઉપર રેલાઈ રહ્યું છે. દુર્ગંધ મારતા પાણીની અસર આસપાસના રહેણાંક વિસ્તારો સહિત અહીંથી પસાર થતા લોકોને પડી રહી છે. જ્યારે દહેશત એ વાતની ફેલાઈ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ગટરના પાણી રોડ ઉપર ફરી વળ્યા હોવાથી રોગચાળો ફેલાઈ શકે છે. ગામના જાહેર રસ્તા ઉપરની સમસ્યાથી ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગ મળી છૂટકારો અપાવે તેવું રહીશો ઈચ્છી રહ્યા છે.