કાર્યવાહી@હિંમતનગર: STમાં 8.85 કરોડના ચેચીસ કૌભાંડમાં ડીસી સસ્પેન્ડ, તપાસમાં મોટા નામ ખુલશે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદના નરોડામાં અગાઉ વર્કસ મેનેજરને 8.85 કરોડના ચેચીસ કૌભાંડમાં સસ્પેન્ડ કરવામાં આવતાં હડકંપ મચી ગયો છે. નરોડામાં વર્કસ મેનેજર તરીકે ફરજ બજાવવા દરમ્યાન 26 માસમાં 5200 નવી બસોનું નિર્માણ કરવાને બદલે 3915 એસટી બસ બનાવી હતી. આ સાથે ચેચીસના ભાવમાં સમય વિત્યે વધારો થતાં સરકારને રૂ. 8.85 કરોડનું નુકસાન અને
 
કાર્યવાહી@હિંમતનગર: STમાં 8.85 કરોડના ચેચીસ કૌભાંડમાં ડીસી સસ્પેન્ડ, તપાસમાં મોટા નામ ખુલશે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના નરોડામાં અગાઉ વર્કસ મેનેજરને 8.85 કરોડના ચેચીસ કૌભાંડમાં સસ્પેન્ડ કરવામાં આવતાં હડકંપ મચી ગયો છે. નરોડામાં વર્કસ મેનેજર તરીકે ફરજ બજાવવા દરમ્યાન 26 માસમાં 5200 નવી બસોનું નિર્માણ કરવાને બદલે 3915 એસટી બસ બનાવી હતી. આ સાથે ચેચીસના ભાવમાં સમય વિત્યે વધારો થતાં સરકારને રૂ. 8.85 કરોડનું નુકસાન અને ટેન્ડર પ્રક્રિયા વગર રૂ. 4.82 કરોડની નિયમ વિરુદ્ધ ખરીદી કરાઇ હતી. આ તરફ ઓવરટાઇમ કૌભાંડની તપાસને અંતે તા. 11-08-21 ના રોજ એસ.ટી.નિગમ દ્વારા હાલમાં હિંમતનગર ડીસીને સસ્પેન્ડ કરી બદલી જૂનાગઢ કરાતાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ હવે હિંમતનગર ડી.સી.મોઢુ ખોલશે તો ઘણા મોટા નામ બહાર આવી તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના નરોડા ઓફીસમાં વર્કસ મેનેજર તરીકે ફરજ બજાવતા કમલ હસને ચેસીસ કૌભાંડ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડીસીએ ફરજ દરમ્યાન મેનપાવર અને મટિરિયલની ઉપલબ્ધિની સાપેક્ષમાં વર્કશોપમાં દરમહિને 200 નવી એસટી બસ બનાવવાની કેપેસિટી હોવા છતાં જાન્યુ-2018થી 26 માસમાં 5200 બોડી બનાવવાની સામે 3915 બોડી બનાવી હતી. ક્ષમતા કરતાં ઓછી બોડી બનાવવાની કામગીરી થવાને પગલે નવી ચેચીસો માટે ભાવ વધારો અને અન્ય ખર્ચ વધતાં રૂ. 8.85 કરોડનું સરકારને નુકસાન થયું હોવાના આક્ષેપો થયા હતા. આ સાથે તા.10-03-19ના રોજ 200 ચેચીસ ખરીદવાનો પી.ઓ. મળવા છતાં કમલ હસને ઓક્ટો-19 સુધી કોઈ કાર્યવાહી કરી ન હોવાનો પણ આક્ષેપ થયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આક્ષેપો મુજબ તેમણે વર્ષ 2018-19 દરમ્યાન રૂ. 2.76 કરોડ અને વર્ષ 2019-20માં રૂ. 2.08 કરોડ મળી કુલ રૂ.4.82 કરોડની ટેન્ડર પ્રક્રિયા વગર નિયમ વિરૂદ્ધ ખરીદી ઓવરટાઈમ કૌભાંડ આચર્યાનો આક્ષેપ કરાયો હતો. ગંભીર આક્ષેપો બાદ નિગમ દ્વારા કમલ હસનની નરોડાથી હિંમતનગર ડી.સી.તરીકે બદલી કરાઇ હતી. નોંધનિય છે કે, જુલાઇ-20માં નિગમ દ્વારા ત્રણ સભ્યોની ટીમ બનાવી તપાસ હાથ ધરાઇ હતી અને તપાસ અહેવાલ રજૂ થયા બાદ આક્ષેપોમાં તથ્ય જણાતાં નિગમ દ્વારા તા.11-08-21 ના રોજ હિંમતનગર ડીસીને સસ્પેન્ડ કરી જૂનાગઢ ડીસી સમક્ષ રોજે રોજ હાજરી પૂરાવવાની સૂચના સાથે હુકમ કર્યો છે.