કાર્યક્રમ@અંબાજી: પોલીસ સંભારણા દિવસની ઉજવણી, શહીદોને યાદ કરાયા
અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ) કોરોના મહામારી વચ્ચે આજે યાત્રાધામ અંબાજી ખાતે પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે સાંજે અંબાજી મંદિરના શક્તિ દ્વાર આગળ પોલીસ સંભારણા દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પોલીસ બેન્ડ અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં
Oct 29, 2020, 21:03 IST
અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ)
કોરોના મહામારી વચ્ચે આજે યાત્રાધામ અંબાજી ખાતે પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે સાંજે અંબાજી મંદિરના શક્તિ દ્વાર આગળ પોલીસ સંભારણા દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પોલીસ બેન્ડ અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના યાત્રાધામ અંબાજી મંદીરના શક્તિદ્રાર આગળ સાંજે પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં 1962માં શહિદ થયેલા જવાનોની યાદમાં ઉજવણી કરાઈ હતી. જેમાં ડી.વાય.એસપી બી.એમ.ચૌધરી, અંબાજી પોલીસ ઇન્સ્પેકટર જે.બી આચાર્ય, અંબાજી મંદિર સધન સુરક્ષાનાં પી.એસ.આઇ આર.કે.વાણિયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.