કાર્યક્રમ@દિયોદર: તાલુકા પંચાયતના નવા પ્રમુખ-ઉપપ્રમુખનું વિધિવત પદગ્રહણ

અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે આજે દિયોદરમાં ભાજપ શાસિત તાલુકા પંચાયત નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવિધાન પૂર્વક પદગ્રહણ કર્યુ છે. જેમાં ભાજપના પ્રમુખ તરીકે ઉતમસિંહ ભીખાજી વાઘેલા અને ઉપપ્રમુખ અમરબેન હરસંગજી ચૌહાણે તાલુકા પંચાયતમાં પદગ્રહણ સંભાળ્યો હતો. આ પ્રસંગે દિયોદર ભાજપ એકમના પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, મહામંત્રી નવીનભાઇ ત્રિવેદી, જગદીશભાઈ ચૌધરી, અગ્રણી, કાર્યકરો
 
કાર્યક્રમ@દિયોદર: તાલુકા પંચાયતના નવા પ્રમુખ-ઉપપ્રમુખનું વિધિવત પદગ્રહણ

અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે આજે દિયોદરમાં ભાજપ શાસિત તાલુકા પંચાયત નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવિધાન પૂર્વક પદગ્રહણ કર્યુ છે. જેમાં ભાજપના પ્રમુખ તરીકે ઉતમસિંહ ભીખાજી વાઘેલા અને ઉપપ્રમુખ અમરબેન હરસંગજી ચૌહાણે તાલુકા પંચાયતમાં પદગ્રહણ સંભાળ્યો હતો. આ પ્રસંગે દિયોદર ભાજપ એકમના પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, મહામંત્રી નવીનભાઇ ત્રિવેદી, જગદીશભાઈ ચૌધરી, અગ્રણી, કાર્યકરો સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખી ઉપસ્થિત રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠાની દિયોદર તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ-ઉપપ્રમુખે પદગ્રહણ કર્યુ હતુ. તાલુકા પંચાયત પ્રમુખ ઉતમસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ગુજરાત ભાજપ મોવડી મંડળના આદેશથી જિલ્લા ભાજપના પ્રમુખ અને મોંવડી મંડળના સૂચનથી દિયોદર તાલુકા ભાજપના યુવા ઉત્સાહી પ્રમુખ વનરાજસિંહ વાઘેલા અને મહામંત્રીઓ સૂચનોથી મને જે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નિમણૂંક કરી મારામાં વિશ્વાસ મૂક્યો છે જેનો હું ભાજપના નાનામાં નાના કાર્યકરો અને આગેવાનોનો દિલથી આભાર માન્યો હતો. આ સાથે દિયોદર તાલુકાના વિકાસ માટે અને નાના વ્યક્તિગત વિકાસ માટે જેમાં પ્રધાનમંત્રી આવાસ, પંડિત દીનદયાલ આવાસ, આંબેડકર આવાસ, વૃદ્ધા પેન્શન, વિધવા પેન્શન, ગરીબ કલ્યાણ માટેની કોઈપણ યોજાના ગામડાના ગરીબ માણસ સુધી પહોંચાડવા યથાગ પ્રયત્ન કરીશ.