કાર્યક્રમ@ખેરાલુ: 30 કરોડના ખર્ચે બનેલ APMCનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાપર્ણ

અટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ ઉત્તર ગુજરાતમા કેનાલમાંથી પાઈપલાઈન દ્વારા ભરાતા તળાવોની બે કિ.મીની મર્યાદા હવે ત્રણ કિ.મી કરાઈ: નીતિન પટેલ ખેરાલુ ખાતે નવીન એપી.એમ.સીના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડુતોની આવક બમણી થાય તે દિશામાં રાજય સરકાર દ્વારા અનેક ખેડુતહિતલક્ષી નિર્ણયો લેવાઇ રહ્યા છે. ખેડુતોના હિતમાં અને ખેડુતોની સરકારે 1995થી આજ દિન
 
કાર્યક્રમ@ખેરાલુ: 30 કરોડના ખર્ચે બનેલ APMCનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાપર્ણ

અટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ

ઉત્તર ગુજરાતમા કેનાલમાંથી પાઈપલાઈન દ્વારા ભરાતા તળાવોની બે કિ.મીની મર્યાદા હવે ત્રણ કિ.મી કરાઈ: નીતિન પટેલ

ખેરાલુ ખાતે નવીન એપી.એમ.સીના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડુતોની આવક બમણી થાય તે દિશામાં રાજય સરકાર દ્વારા અનેક ખેડુતહિતલક્ષી નિર્ણયો લેવાઇ રહ્યા છે. ખેડુતોના હિતમાં અને ખેડુતોની સરકારે 1995થી આજ દિન સુધી ગરીબ,ખેડુત,અને મધ્યમવર્ગીયના હિતોની ચિંતા કરી છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીની દિર્ધદષ્ટીને પગલે રાજ્યમાં સિંચાઇ અને પીવાના પાણીની સવલતો ઉભી થઇ છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના,સુઝલામ સુફલામ યોજના,સૌની યોજના સહિત અનેકવિધ યોજનાઓ થકી પાણની સમસ્યા હલ થઇ છે.

કાર્યક્રમ@ખેરાલુ: 30 કરોડના ખર્ચે બનેલ APMCનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાપર્ણ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે, ખેડુતોના હિત માટે રૂપિયા 06 હજાર કરોડની સુઝલામ સુફલામ યોજના આજે તારણહાર બની છે. 2022માં ખેડુતોની આવક બમણી કરવાના ધ્યેય સાથે સરકારે કમર કસી છે.તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના ખેડુતોને વીજભાર સહન ન કરવો પડે તે માટે 1995 થી આજ દિન સુધી છેલ્લા 26 વર્ષમાં ખેડૂતો માટેના વીજદરમા વધારો કરાયો નથી. આ ઉપરાંત ખેડુતોની જમીનના પાણીના તળ ઉંચા આવે તે માટે સુઝલામ સુફલામ યોજના નજીકના બે કિલોમીટરના ગામમાં તળાવ ભરી આપવાની સરકારની યોજના હતી જે ખેડુતોના વ્યાપક હિતને ધ્યાને લઇને ત્રણ કિલોમીટર સુધી લંબાવીને તળાવ ભરી આપવા માટે રાજય સરકારના ખર્ચે લાઇનો જોડાણ કરવામાં આવશે.

કાર્યક્રમ@ખેરાલુ: 30 કરોડના ખર્ચે બનેલ APMCનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાપર્ણ

આ પ્રસંગે સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે ખેતી પ્રધાન દેશ ભારત હોવા છતાં ભુતકાળમાં ખેતી અને પશુપાલન ક્ષેત્રે રૂચી દખવાઇ ન હતી..પરંતુ  2005માં તત્કાલી મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કૃષિ મહોત્સવ શરૂ થવાના કારણે આજે ખેડુતોની આવકમાં વધારો થયો છે. કૃષિને લગતી સમસ્યાઓનુ નિરાકરણ માટે સરકારે હમેશાં તૈયારી બતાવી છે. સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, 2022માં ખેડુતોની આવક બમણી કરી ખેડુતોના જીવનમાં આમુલ પરિવર્તન થવાનું છે. ખેતપેદાશનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યમાં વિવિધ બજાર સમિતિઓ આવેલ છે.

કાર્યક્રમ@ખેરાલુ: 30 કરોડના ખર્ચે બનેલ APMCનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાપર્ણ

સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે ખેરાલું ખાતે 30 કરોડના ખર્ચે બનેલ નવીન એ.પી.એમ.સીમાં સરકાર દ્વારા 05.19 કરોડની સહાય અપાઇ છે તેમ જણાવી ખેડુતોના હિતમાં કામ કરી સરદાર સાહેબના ગુણોને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી દ્વારા 30 કરોડના ખર્ચે સરદાર પટેલ એ.પી.એમ.સી સહિત સરદાર પટેલની પ્રતિમાનું ખેરાલું ખાતે અનાવરણ કર્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત સન્માન તાલુકા પંચાયત, પાલિકા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્રારા કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચનમાં એ.પી.એમ.સી ચેરમેન ભીખાભાઇ ચાચરીયાએ જણાવ્યું હતું કે આપણો પાક આપણું બજાર સુત્ર અન્વયે આજે ખેરાલુંના ખેડુતોને ભવ્ય માર્કેટયાર્ડ પ્રાપ્ત થયું છે. ખેરાલુના ખેડુતોના હિત માટે સરકાર દ્વારા વિવિધ સહાય કરાઇ છે. ખેડુતોના હિત માટે રાજ્ય સરકાર દ્વારા થઇ રહેલ કામગીરી માટે ખેડુતો વતી આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અજમલજી ઠાકોર, દુધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી, ડિસ્ટ્રીક બેન્કના ચેરમેન વિનોદભાઇ પટેલ, પુર્વ ગૃહમંત્રી રજનીકાન્ત પટેલ, પુર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી, સામાજિક અગ્રણી સોમાભાઇ મોદી, અગ્રણી જશુભાઇ પટેલ, ધીરેનભાઇ ચૌધરી, એ.પી.એમ.સી મહેસાણાના ચેરમેન ખોડાભાઇ પટેલ, અગ્રણી કૌશલ્યા કુંવરબા સહિત ખેતીવાડીના અધિકારીઓ,પદાધિકારીઓ અને ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો