કાર્યક્રમ@મહેસાણા: વડાપ્રધાન મોદીના જન્મદિવસે ઉનાવા APMCમાં વૃક્ષારોપણ કરાયું
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આજે 71મો જન્મ દિવસ છે. જેને લઇ મહેસાણા અને ગુજરાત સહિત દેશભરમાં અનેક જગ્યાએ ઉજવણી કરાઇ રહી છે. આ તરફ મહેસાણા જીલ્લાની ઉનાવા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્રારા આજે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વૃક્ષારોપણ કરી તાલુકા પંચાયતના પ્રમુખ, એપીએમસી ચેરમેન સહિતનાએ વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરાવામાં આવ્યો. મહેસાણા જીલ્લાના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઇ આ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં તાલુકા પંચાયત ઊંઝાના પ્રમુખ સીતાબેન પટેલ, એપીએમસી ઉનાવાના ચેરમેન ભીખાભાઈ પટેલ, એપીએમસી ઉનાવાના ડિરેક્ટર જયંતીભાઈ પટેલ, ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ પટેલ, એપીએમસી ઉનાવાના સેક્રેટરી રાજેન્દ્રભાઇ પટેલ, ફોરેસ્ટના અધિકારીઓ તેમજ એપીએમસી ઉનાવાના કર્મચારીગણની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.