રાધનપુરમાં લોહાણા સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનુ સન્માન થયું

અટલ સમાચાર રાધનપુર રાધનપુરમાં દેશી લોહાણા સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો.1 થી ડોક્ટરી સુધીનો અભ્યાસ કરતા 196 તેજસ્વી તારલાઓનું સન્માન થયું હતું. કાર્યક્રમમા ર્ડા.નવીનભાઈ ઠક્કર, શંભુભાઈ ઠક્કર,દેવચંદભાઈ ઠક્કર, નાયબ કલેક્ટર વિપુલ ઠક્કર,પ્રવીણભાઈ મહાલક્ષ્મી,મેહુલભાઈ ઠક્કરે ઉપસ્થિતોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતુ. સમાજના પ્રમુખ રઘુરામભાઇ ઠક્કર, મંત્રી ભુપેન્દ્રભાઈ આચાર્ય તેમજ મહાજનના સભ્યોએ
 
રાધનપુરમાં લોહાણા સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનુ સન્માન થયું

અટલ સમાચાર રાધનપુર

રાધનપુરમાં દેશી લોહાણા સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો.1 થી ડોક્ટરી સુધીનો અભ્યાસ કરતા 196 તેજસ્વી તારલાઓનું સન્માન થયું હતું. કાર્યક્રમમા ર્ડા.નવીનભાઈ ઠક્કર, શંભુભાઈ ઠક્કર,દેવચંદભાઈ ઠક્કર, નાયબ કલેક્ટર વિપુલ ઠક્કર,પ્રવીણભાઈ મહાલક્ષ્મી,મેહુલભાઈ ઠક્કરે ઉપસ્થિતોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતુ. સમાજના પ્રમુખ રઘુરામભાઇ ઠક્કર, મંત્રી ભુપેન્દ્રભાઈ આચાર્ય તેમજ મહાજનના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે રાધનપુર પંથકમાં લોહાણા સમાજની સંખ્યા વધુ છે.